45 યુનિટના 3500 જેટલા તરવૈયાઓ સ્પર્ધામાં ભાગ લેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યોમાંથી તેમજ સીબીએસસી બોર્ડ, સ્ટેટ બોર્ડ, સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના 45 યુનિટના 3500 જેટલા છાત્રો સ્પર્ધકોનું આગમન રાજકોટ ખાતે શરૂ થઈ ચૂક્યું છે.
રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા સરદાર પટેલ સ્નાનાગર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં 3500 જેટલા સ્પર્ધકો ભાગ લેવા જઈ રહ્યાનું જિલ્લા રમત-ગમત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજકોટ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને અંડર 19 કેટેગરીમાં શાળા, કોલેજના વિદ્યાર્થીઓ સ્વિમિંગ તેમજ ડાઈવીંગની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં જુદી-જુદી 17 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતભરમાંથી વિવિધ રાજ્યોમાંથી તેમજ સીબીએસસી બોર્ડ, સ્ટેટ બોર્ડ, સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના 45 યુનિટના 3500 જેટલા છાત્રો સ્પર્ધકોનું આગમન રાજકોટ ખાતે શરૂ થઈ ચૂક્યું છે. આજ સાંજ સુધીમાં તમામ સ્પર્ધકો આવી પહોંચશે તેમ સ્પર્ધાના ઓર્ગેનાઇઝેશન કમિટીના હેડ અને ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ કોચ ક્રિષ્ના બેને જણાવ્યું છે.
આ સ્પર્ધકોને રહેવા માટે હોસ્ટેલમાં તેમજ ફ્લેટમાં ઉતારાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વિમર્સના નાસ્તા, જમવાની વ્યવસ્થા તેમજ સ્નાનાગર ખાતે તેઓને લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ કરવામાં આવેલી છે. ટ્રાન્સપોર્ટેશન નોડલ અધિકારી સુદીપના જણાવ્યા મુજબ 20 જેટલી નાની મોટી બસો તેમજ મેનેજમેન્ટ સાથે જોડાયેલા મહેમાનો માટે કારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સ્નાનાગર ખાતે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેમજ સ્પર્ધકોને આઈડી પાસ આપવાની કામગીરી હાલ ચાલી રહી છે.