વિકસિત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવા માટે શિક્ષણ પાયામાં છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને, છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે દીકરીઓના અભ્યાસને વેગ આપવા અનેકવિધ શૈક્ષણિક આયોજન કર્યા છે.
- Advertisement -
ત્યારે જૂનાગઢ જિલ્લામાં કાર્યરત્ત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈંગ્લીશ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત ઓરિએન્ટેશન પ્રોગ્રામ અને ફ્રેશર્સ ફિયેસ્ટા કાર્યક્રમને દિપ પ્રાકટ્યથી ખુલ્લો મુકતા યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ યુનિ.નાં સેમેસ્ટર-1માં પ્રવેશ પામેલ અને યુનિ.નાં છાત્રો શોધ સંશોધકોને સંબોધતા જણાવ્યુ હતુ કે ઉચ્ચ શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓ પણ રાજ્ય અને ભારત સરકારે શરૂ કરી છે ત્યારે વિદ્યાર્થિઓને સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, સ્કીલ બેઈઝ્ડ એજ્યુકેશન પ્રાધ્યાપકો દ્વારા સરકાર પૂરું પાડે છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત રાષ્ટ્રનાં નિર્માણ માટે છાત્રોને આહવાન કરતા ડો. ત્રિવેદીએ કહ્યું વિકસિત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવા માટે શિક્ષણ પાયામાં છે.
આ તકે અંગ્રેજી વિભાગનાં વડા પ્રો.(ડો.) ફિરોઝ શેખે વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યુ હતુ કે હમેંશા ધ્યેય ઉંચુ રાખવુ, માત્ર જ્ઞાન જ શક્તિશાળી છે એવુ માનવાને બદલે જ્ઞાનને અમલીકરણ કરવુ એ શક્તિ છે એમ છાત્રોને સદ્રષ્ટાંત જણાવ્યુ હતુ.
આ પ્રસંગે સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) જયસિંહ ઝાલાએ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની જ્યારે જીવનમાં તક સાંપડી છે ત્યારે યુનિ. ભવનનાં વિષય તજજ્ઞોનાં જ્ઞાનને આત્મસાત કરી જીવનોત્કર્ષ કરવા હિમાયત કરી હતી. ડો. રૂપલબેન ડાંગર, ડો. ઓમ જોષી, દિશા છાટબાર સહિત વિદ્વાનોએ વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ ક્ષેત્રે માર્ગદર્શીત કર્યા હતા.