હા… ના… હા… ના… હા… ના… હા… ના… હા… ના… હા… ના… હા… ના… હા… ના…
અસમંજસ, મથામણ, સોદાબાજી, રાજકીય બ્લેકમેઈલિંગ, સમાજ, સલાહ, સૂચનો, અભિપ્રાયો પછી અંતે
- Advertisement -
6 મહિનામાં 7 વાર નરેશ પટેલે ‘ચોકલેટ’ આપી અને અંતે રાજકીય એન્ટ્રીની અટકળોનો અંત
ખાસ-ખબર સંવાદદાતા
પાટીદાર સમાજના અગ્રિમ નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે કેમ, થશે તો કયા પક્ષ સાથે જોડાશે એ મામલે છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલી અટકળો પર અંત આવી ગયો છે. આજે કાગવડ ખાતે નરેશ પટેલે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. આ સાથે નરેશ પટેલે એ પણ જાહેરાત કરી હતી કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને રાજકારણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે. નરેશ પટેલે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમાજમાં થયેલા સર્વે અનુસાર 50% મહિલાઓ અને 80% યુવાનો એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ, પણ વડીલોનું માનવું એવું છે કે મારે પોલિટિક્સમાં જોડાવવું ન જોઈએ. માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય હાલપૂરતો જ મોકૂફ રાખવામાં આવ્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ગુજરાતના તમામ સમાજના લોકોને અને મા ખોડલધામને મારા પ્રણામ, મૂળ વાત પર જ આવીએ તો રાજકરણમાં પ્રવેશ કરવાનો વિચાર મને કોરોનાકાળમાં આવ્યો હતો. એ સમયે મેં સરદાર સાહેબને ખૂબ વાંચ્યા અને મને વિચાર આવ્યો કે રાજકારણમાં પ્રવેશ મેળવીએ. માટે આ વિચાર મેં સમાજ પાસે મૂક્યો હતો. પણ હાલપૂરતો મે નિર્ણય મોકુફ રાખ્યો છે.
મારા પર કોઈ રાજકીય દબાણ નથી
નરેશ પટેલે જણાવ્યું હતું કે મારા પર કોઈ રાજકીય દબાણ નથી, વડીલોની સલાહ માનીને મેં આ નિર્ણય લીધો છે. હાલપૂરતો રાજનીતિમાં નહીં જોડાઉં. ખોડલધામના ટ્રસ્ટીઓ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના હોદ્દેદારો તેમજ સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ સાથે બંધબારણે બેઠક કરી હતી. આ બેઠકમાં નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામ પોલિટિકલ એકેડમીની જાહેરાત કરી છે.
- Advertisement -
6 મહિનામાં 7 વાર તારીખ પાડી
છેલ્લાં 6 મહિનાથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં એના પર સસ્પેન્સ ચાલી રહ્યું છે. ખોડલધામ એટલે નરેશ પટેલ અને નરેશ પટેલ એટલે ખોડલધામ. આ ઓળખ ધરાવનાર પાટીદાર અગ્રણી નરેશ પટેલે 27 ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણની વાત કરી હતી. રાજકારણમાં જોડાવવું કે નહીં એ અંગેનો નિર્ણય માર્ચની શરૂઆતમાં જાહેર કરશે એવી પ્રથમ વખત જાહેરાત કરી કરી હતી. બાદમાં એક બાદ એક તારીખ પાડતા રહ્યા અને તારીખની સંખ્યા 7 પર પહોંચી અને દિવસની સંખ્યા 100થી વધુ થઈ. ત્યારે આજે આ રાજકીય અટકળોનો
અંત આવ્યો છે.