શિવરાત્રી મેળામાં શીવ ભજનોની અનેરી રમઝટથી ભાવીકો જુમી ઉઠ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળામાં વહીવટી તંત્ર અને યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવીએ ’નગરમે જોગી આયા…’ જેવી શિવમય પ્રસ્તુતિઓ આપી શ્રોતાઓને ડોલાવ્યા હતા. આ સાથે કલાકાર જીતુ દાદ, અનુદાન ગઢવી અને જગદીશ માહેરે લોકસાહિત્યની વાતો સાથે ભક્તિસભર પ્રસ્તુતિઓ કરી હતી. આ કલાકારોએ પ્રકૃતિ – પર્યાવરણના જતન માટે યાત્રાધામ ગિરનાર- જૂનાગઢ પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે પણ હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
- Advertisement -
ઉપરાંત એક વિડિયો ક્લિપના માધ્યમથી નાગરિકોને મતદાન અચૂક કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર, ન્યાયાધીશ હેમંતકુમાર દવે, ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી,નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા, પ્રાંત અને મેળા અધિકારી ભૂમિબેન કેશવાલા, અગ્રણી યોગીભાઈ પઢિયાર, મોહનભાઈ પરમાર સહિતના પદાધિકારીશ્રીઓ -અધિકારીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.