જૂનાગઢ મનપાની વેરા વસૂલાત ઝુંબેશ યથાવત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં અનેક આસામીઓ દ્વારા લાંબા સમયથી હાઉસ ટેક્ષની રકમ ભરવામાં આવી ન હતી. ત્યારે આવા આસામીઓની મિલકતોને સીલ મારવા, ટાંચમાં લેવાની કમિશનર ડો. ઓમ પ્રકાશે સૂચના આપી હતી. જેને પગલે ડીએમસી ડી.જે. જાડેજાના માર્ગદર્શનમાં આસિસ્ટન્ટ કમિશનર ટેક્ષ કલ્પેશ ટોલીયા, હાઉસ ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ વિરલ જોષીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આમ લાંબા સમયથી હાઉસ ટેક્ષ ન ભરનાર મિલકતોના આસામીઓએ કુલ 3,38,452 હાઉસ ટેક્ષ ભરપાઈ કર્યો ન હતો. આથી કડિયાવાડ શાક માર્કેટ પાસે 2, હોળી ચોકમાં 1, દાણાપીઠમાં 1 અને પાંજરાપોળના ડેલામાં 2 એમ કુલ 6 મિલકતોને સીલ મારી દેવાયું છે.જ્યારે 58 લાખની વસુલાત કરાઈ છે અને એક જ દિવસમાં શહેરની 174 મિલકતોને ટાંચમાં લેવાઇ છે. આ કામગીરી દોલતપરા ઝોનલ ઓફિસર કેયુર બાથાણી, જોષીપુરા ઝોનલ ઓફિસર નિતુબેન વ્યાસ અને ટીંબાવાડી ઝોનલ ઓફિસર ત્રિપાલસિંહ રાયજાદા દ્વારા કરવામાં આવી હતી.