ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી તા. 6-4ના રોજ રામનવમી નિમિત્તે તથા તા. 10-4ના રોજ મહાવીર જયંતી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવા અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જીપીએમસી એક્ટ 1949ની કલમ 329 અને 336 તથા વંચાણે લીધેલા રાજકોટ મહાનગર પાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું.