ખાસ-ખબર ન્યૂઝ મ્યાનમાર, તા.1
શુક્રવારે મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં નમાજ પઢી રહેલા 700થી વધુ લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત આમાં 60થી વધુ મસ્જિદ પણ નાશ પામી છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ચોથા દિવસે વધીને 1700થી વધુ થઈ ગયો છે. મ્યાનમાર સેનાએ સોમવારે આ માહિતી આપી.
લશ્ર્કરી સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 3,400થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે 300થી વધુ લોકો ગુમ છે. ભૂકંપમાં માર્યા ગયેલા 1700થી વધુ લોકોના સત્તાવાર આંકડામાં મસ્જિદોમાં માર્યા ગયેલા લોકોનો સમાવેશ થતો હતો કે કેમ એ હજુ સુધી જાણી શકાયું નથી.
7.7ની તીવ્રતાનો ભૂકંપ મ્યાનમાર અને થાઇલેન્ડમાં 200 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ હતો. સીએનએનએ એક ભૂસ્તરશાસ્ત્રીને ટાંકીને કહ્યું હતું કે આ ભૂકંપની અસર 334 પરમાણુ બોમ્બના વિસ્ફોટ જેટલી હતી. મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે. આ આશંકા યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળનાં જહાજો ઈંગજ સતપુરા અને ઈંગજ સાવિત્રીએ ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારના યાંગોન બંદરે 40 ટન રાહત સામગ્રી મોકલી છે. આ ઉપરાંત 118 સભ્યોનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ આગ્રાથી મ્યાનમારના મંડાલય શહેર પહોંચ્યું.
અગાઉ ઓપરેશન બ્રહ્મા હેઠળ ભારતે 15 ટન રાહત સામગ્રી મોકલી હતી, જેમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, વોટર પ્યૂરિફાયર, સૌર લેમ્પ, જનરેટર સેટ અને મદદ માટે જરૂરી દવાઓનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રે રાહત કાર્યક્રમ શરૂ કરવા માટે મ્યાનમારને 5 મિલિયન ડોલર (રૂ. 43 કરોડ) આપ્યા. રશિયાના કટોકટી મંત્રાલયે 120 બચાવ કાર્યકરો અને આવશ્ર્યક પુરવઠો ધરાવતાં બે વિમાનો મોકલ્યાં. ચીની બચાવ ટીમ પણ પહોંચી ગઈ. હોંગકોંગ, સિંગાપોર અને મલેશિયા પણ બચાવ ટીમો મોકલશે.
રસ્તાઓ પર ભીડ અને ટ્રાફિકજામના કારણે બચાવ કામગીરી મુશ્ર્કેલ બની રહી છે. ટ્રોમા કિટ, બ્લડ બેગ, એનેસ્થેટિક્સ અને આવશ્ર્યક દવાઓ જેવાં ઘણાં તબીબી ઉપકરણોના પરિવહનમાં અવરોધ આવી રહ્યો છે. યુરોપિયન યુનિયનએ મ્યાનમારને 2.7 મિલિયન (રૂ. 23 કરોડ)ની કટોકટી સહાય મોકલી છે. ઊઞએ કહ્યું હતું કે તે આ મુશ્ર્કેલ પરિસ્થિતિમાં મ્યાનમારના લોકોની સાથે ઊભું છે.
મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં નમાજ પઢી રહેલા 700થી વધુ લોકોનાં મોત
