ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધુળેટીના તહેવારની ઉજવણી સાથે “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જિલ્લાના નાગરિકોને ધુળેટીના તહેવારની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, રંગીલા રાજકોટવાસીઓ જેમ દરેક તહેવાર ઉત્સાહભેર ઉજવે છે તેમ લોકશાહીનું પર્વ આગામી તારીખ 7 મે 2024ના રોજ યોજાનારા મતદાનના તહેવારમાં જિલ્લાના તમામ મતદારો ઉત્સાહભેર ભાગ લે, તેવી મારી અપિલ છે. આ માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દરેક મત મહત્વનો છે તેમજ સૌની ભાગીદારી લોકશાહીનો પાયો છે તેવા સ્લોગન સાથે બેનરો દર્શાવી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાંથી તારીખ 24 માર્ચ સુધીમાં કુલ 680થી વધુ અનધિકૃત રાજકીય જાહેરાતો દૂર કરવામાં આવી છે.