રવિવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલા 6.0 ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 600 લોકો માર્યા ગયા છે અને 1500 લોકો ઘાયલ થયા છે.
31 ઓગસ્ટ, 2025ના ભૂકંપ માટે તાલિબાન સરકારના અધિકારીઓએ મૃત્યુઆંકના ચોક્કસ આંકડા આપ્યા છે. સૌથી લેટેસ્ટ સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં ભયાનક ભૂકંપને કારણે અફઘાનિસ્તાનના જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં 600 થી વધુ લોકો માર્યા ગયા છે અને 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલમાં હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશનની કાર્યવાહી ચાલી રહી છે.
- Advertisement -
ભૂકંપથી ભારે વિનાશ વેરાયો
ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા સમગ્ર પાકિસ્તાન અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. ભૂકંપની જાણ થતાં જ જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. એનસીઆરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઇમારતો ધ્રુજી ઉઠી હતી અને લોકો બહાર દોડી આવ્યા હતા.
9 લોકોના મોતની પુષ્ટી
- Advertisement -
અફઘાનિસ્તાનના નાંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે થયેલા આંચકામાં ઓછામાં ઓછા 250 લોકો માર્યા ગયા છે અને 600થી વધુ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં હતું?
USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 8 કિમીની ઊંડાઈએ હતું. ભારતીય સમય મુજબ, રાત્રે 12.47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 20 મિનિટ પછી, ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો, જેની તીવ્રતા 4.5 માપવામાં આવી. તેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.