કરોડો રૂપિયાના ખનિજ દિનભર ખનન થવા છતાં તંત્રને જરાય ચિંતા નથી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને સાયલા વિસ્તારમાં બે હજારથી પણ વધુ કોલસાની ખાણો ધમધમી રહી છે જેમાં દરરોજ કરોડો રૂપિયાનો કોલસો ખનન કરીને બરોબર વેચાણ થઈ રહ્યો છે. કોલસાની એક ખાણ અંગે જો વાત કરવામાં આવે તો 150થી 200 ફુટ જેટલી ઉંડાઈ ધરાવતી ખાણમાં મજૂરોને ઉતારી તેમાં સુરંગ બનાવી કોલસો કાઢવામાં આવે છે. એક કોલસાની ખાણમાં દરરોજ લગભગ ત્રીસ ટનથી વધુ કોલસો કાઢી વાહનોમાં ભરીને વેચાણ કરાય છે આ સાથે કેટલીક ઓપન કટીંગ ખાણો પણ અહીં ધમધમે છે જેમાં થાનગઢ પંથકના સોનગઢ ગામે ખારા વિસ્તારમાં ચાલતી આ ઓપન કટીંગ ખાણો રાજકીય વગ ધરાવતા કેટલાક માથાભારે ખનિજ માફિયાઓની હોવાથી તંત્ર અહીં દરોડો કરવાનું તો દૂર અહીં જવા માટે પણ રાજી નથી. જોકે આગાઉ એકાદ મહિના પૂર્વે ખાણ ખનીજ વિભાગે સોનગઢના ખારા વિસ્તારમાં ચાલતી ઓપન કટીંગ ખાણ પર નાટ્યમટક રૂપે દરોડો કરી જે ખાણ હજુ ખોદવાની અધૂરી હતી તેમાં દરોડો કરી કામગીરી દર્શાવી દીધી હતી. પરંતુ અહીં આજુબાજુ લગભગ પાંચેક જેટલી ખાણો ખનિજ વિભાગના આંખ આડે આવી નથી.
- Advertisement -
થાનગઢ પંથકના સોનગઢ ગામની સાથે અન્ય ગ્રામ્ય વિસ્તારો જેમકે તરણેતર, ભાડુલા, જામવાડી, ખાખરાથળ, રાવરાણી, ખાખરાળી, વેલાળા, ગુગલિયાણા, કાનપર, રૂપાવટી મોરથળા સહિતના વિસ્તારોમાં જ્યારે મૂળી પંથકના ઉમરડા, પલાસા, ખાખરાળા, વાગડીયા, દેવપરા, માનપર, ધોળિયા, અસુંદરાળી, ખંપાળિયા, ભેટ, ગઢડા, સડલા, દુધઈ સહિતના વિસ્તારોમાં અને સાયલાના ચોરવિરા, ઇશ્વરીયા અને ચિત્રલાખા ગ્રામ્યની સીમ વિસ્તારમાં આશરે બે હજારથી પણ વધુ કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે આ બે હજાર ખાણીનો આંકડો સરકારી રેકર્ડ મુજબ છે કારણ કે વર્ષ 2023માં ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટની ફરજ દરમિયાન સરકારના દોઢેક કરોડના ખર્ચે તમામ ખાણોને બંધ કરવામાં આવી હતી. પરંતુ આ તમામ ખાણો આજની સ્થિતિમાં ચાલુ નજરે પડે છે જેથી તંત્રની નિષ્ક્રિયતાના લીધે સરકારની તિજોરીને બેવડી ફટકાર પડી છે જેમાં અગાઉ ખાનને બંધ કરવામાં દોઢેક કરોડનો ખર્ચ અને હવે હવે ખાણ શરૂ થઈ ગઈ એટલે કરોડોની ખનિજ ચોરી કરી સરકારની તિજોરીને તો બંને તરફથી નુકશાન જ છે. ત્યારે આ થાનગઢ, મૂળી અને સાયલા ધમધમતી આશરે બે હજારથી પણ વધુ કોલસાની ગેરકાયદેસર ખાણ સામે જિલ્લાનું ખાણ ખનિજ વિભાગ મૂકપ્રેક્ષક બનીને રહી ચૂક્યું છે. જેથી ખનિજ માફિયાઓને તંત્ર આડકતરી રીતે અહીં લૂંટાય એટલું ખનિજ લૂંટો તે પ્રકારની છૂટ આપી હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ ચૂકી છે.
થાનગઢ તાલુકાના ગામો
થાનગઢ, જામવાડી, ખાખરાળી, રાવરાની, સોનગઢ, વેળાળા (સા), ગૂગળીયાણા, કાનપર, ખાખરાથળ, તરણેતર, રૂપાવટી, મોરથળા
- Advertisement -
મૂળી પંથકના ગામો
ઉમરડા, પલાસા, ખાખરાળા, વાગડીયા, દેવપરા, માનપર, ધોળિયા, આસુન્દ્રાળી, ખંપાળીયા, ગઢડા, ભેટ, રાણીપાટ, સાડલા, દુધઈ.
સાયલા તાલુકાના ગામો
ચોરવિરા, ઇશ્વરિયા, ચિત્રાલાખ



