ખાસ-ખબર સંવાદદાતા
અમરનાથ યાત્રાના શ્રધ્ધાળુઓ અને યાત્રિકોને હવે વધુ સુગમતા અને સુવિધા પુરી પાડવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ પ્રદેશ સરકાર દ્રારા યાત્રિકો માટે વિશેષ સુવિધાઓ નિર્માણ કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે હવે શ્રીનગરથી પંચતરણી સુધી હેલિકોપ્ટર સેવા શ્રીનગર એરપોર્ટ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પહેલાં આ સુવિધા પહેલગાવ અને નિલગ્રંથથી પંચતરણી સુધી ઉપલબ્ધ હતી. પંચતરણીને યાત્રાનો અંતિમ પડાવ માનવામાં આવે છે અને ત્યાંથી પવિત્ર ગુફા અંદાજે 6 કિલોમીટર દૂર છે. કોરોના વાયરસ મહામારીને કારણે અમરનાથની વાર્ષિક યાત્રા બે વર્ષ બાદ આયોજિત થઈ રહી છે અને આ વર્ષે યાત્રા 30મી જૂનથી શરૂ થઈ જવાની છે અને 11મી ઓગસ્ટના રોજ સમા થઈ જશે.
- Advertisement -
દરમિયાનમાં શ્રાઈન બોર્ડનો દાવો છે કે, આ વખતે આઠ લાખથી વધુ શ્રધ્ધાળુઓ આવી શકે છે અને યાત્રિકોની ભારે સંખ્યાની અપેક્ષાને પગલે વ્યવસ્થા તત્રં ઉભું કરવામાં આવ્યું છે અને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.