જીએસટી ઘટાડો અને ખજખઊ કેશફ્લો મુદ્દે ઉદ્યોગજનોની માંગણી, નાણાં અને ઉદ્યોગ મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી – ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાતે ગયા હતા. પ્રતિનિધિમંડળે સિરામિક પ્રોડક્ટ્સ પર લાગતો જીએસટી 18%થી ઘટાડીને 5% કરવાની અને પેપરમિલ ઉદ્યોગને આપવામાં આવતી સબસીડી ચાલુ રાખવાની માંગણી રજૂ કરી. નાણાંમંત્રીએ આ બાબતો પર હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ઉદ્યોગ મંત્રી સમક્ષ મોરબીના મિડિયમ એન્ટરપ્રાઇઝને ખજખઊ કાયદા મુજબ 45 દિવસની અંદર ચુકવણીની જોગવાઈ હોવા છતાં પડતી કેશફ્લો સમસ્યાઓને રજૂ કરીને સુધારા કરવાની માંગણી કરવામાં આવી. મંત્રીએ આગામી બેઠકમાં વિગતવાર ચર્ચા કરીને હિતકારી નિર્ણય લેવા માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.



