ખાસ-ખબર સંવાદદાતા
ગિર-સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રી અંતર્ગત જ્યોત પૂજન, મહાપુજા અને મહાઆરતી કરવામાં આવી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નિમિત્તે જ્યોત પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગન્દ્રભાઈ દેસાઇ, ટ્રસ્ટના જનરલ મેનેજર, એક્ઝીક્યુટીવ ઓફિસર દ્વારા કરવામાં આવેલ હતુ. આ પૂજનમાં ટ્રસ્ટના અધિકારી/કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઓ જોડાયા હતા.
રાત્રે મહાપુજન અને મધ્યરાત્રીના 12-00 કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતી. મહાશિવરાત્રિ પર્વે શિવ કૃપા પ્રાપ્ત કરી ભક્તો ધન્ય બન્યા હતા.