ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સહીત દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં ચોમાસાનો વરસાદ થઈ જવાને પગલે સર્વત્ર હરીયાળી છવાઈ ગઈ છે. વાતાવરણ આહલાદક બન્યુ છે ત્યારે પ્રવાસના શોખીન ગુજરાતીઓએ હરવા-ફરવાના પ્લાન વધારી દીધા છે.ઉનાળુ વેકેશન કે દિલ્હીની રજાઓમાં ભીડભાડથી બચવા પ્રવાસ ટાળવા લોકો જુલાઈથી સપ્ટેમ્બરનો પ્રવાસ પસંદ કરે છે અને આ વખતે આવા પ્રવાસીઓની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે.
ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઈન્ડીયાના ગુજરાત સેન્ટરનાં રીપોર્ટ પ્રમાણે વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો હોય છે. સીઝનને ભીડભાડને બદલે ચોમાસામાં આરામદાયક પ્રવાસ કરતો મોટો વર્ગ છે. અને તેની સંખ્યા ઘટી વધી રહી છે. અત્યાર સુધી નજીકનાં પર્યટનસ્થળો તરફનો જ ટ્રેંડ રહેતો હતો.પરંતુ હવે લોકો દુરના પ્રવાસન સ્થાનોએ પણ જવા લાગ્યા છે. વિદેશ પ્રવાસમાં પાકિસ્તાન, વિયેતનામ, દુબઈ, બાલી તથા મલેશીયન ફેવરીટ છે. જયારે ભારતમાં જ ગોવા, મહાબળેશ્વર, ઉદયપુર, કુંબલગઢ, માઉન્ટ આબુ, દહેરાદુન, ઋષિકેશ તરફ આકર્ષણ છે.