MP-બિહારના 52 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
આજે દેશમાં ચોમાસાની એન્ટ્રીનો પાંચમો દિવસ છે. 14 રાજ્યોમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. તેમજ, છત્તીસગઢમાં છેલ્લા પાંચ દિવસમાં 111 ઇંચ (2840 મીમી)થી વધુ વરસાદ પડ્યો છે. આ મે મહિનામાં થતા સામાન્ય વરસાદ કરતાં લગભગ 6 ગણો વધારે છે. સામાન્ય રીતે મે મહિનામાં 430 થી 450 મીમી વરસાદ પડે છે.
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ભારે વરસાદ પડ્યો હતો. ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા. આજે ઓડિશામાં ચોમાસુ એન્ટ્રી કરી શકે છે. સરકારે જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ પર રાખ્યું છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
- Advertisement -
મંગળવારે મધ્યપ્રદેશના 15થી વધુ જિલ્લાઓમાં વરસાદ પડ્યો. આજે પણ ભોપાલ, ઇન્દોર-ઉજ્જૈન સહિત 40 જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કેટલાક જિલ્લાઓમાં પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાક સુધી હોઈ શકે છે.
બિહારના 12 જિલ્લાઓમાં આજે વરસાદ માટે યલો એલર્ટ છે. તેમજ, રાજસ્થાનના બાડમેર, જેસલમેર અને ફલોદીમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. આજે સાત જિલ્લાઓમાં ગરમીનું એલર્ટ છે જ્યારે બપોર પછી 15 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદનું યલો એલર્ટ છે.
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ વર્ષે ગુજરાતમાં સરેરાશ 114 ટકા વરસાદનું અનુમાન લગાવાયું છે. આજે 28 મેના રોજ દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
27 મેના રોજ, ઈંખઉ એ કહ્યું હતું કે, ’દેશમાં જૂન મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે, જે 108% હોઈ શકે છે.’ એટલે કે આ સમયગાળા દરમિયાન 87 સેમીથી વધુ વરસાદની અપેક્ષા છે. આને લોન્ગ પિરિયડ એવરેજ એટલે કે કઙઅ કહેવામાં આવે છે.
હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ વખતે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. તેમજ, પંજાબ, હરિયાણા, કેરળ અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના છે.
મધ્ય અને દક્ષિણ ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની ધારણા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે.
- Advertisement -
ચોમાસાના કોર ઝોનમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. આમાંથી મોટાભાગનો વરસાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન થાય છે. આ પ્રદેશ ખેતી માટે ચોમાસાના વરસાદ પર ખૂબ આધાર રાખે છે.નૌતપાના ત્રીજા દિવસે પણ રાજ્યમાં ગરમીને બદલે વાવાઝોડા અને વરસાદ જોવા મળ્યો. ભોપાલ, ઉજ્જૈન, રાજગઢ સહિત 15થી વધુ જિલ્લામાં વરસાદ થયો હતો. આજે પણ 40 જિલ્લાઓમાં ભારે વાવાઝોડા અને વરસાદની ચેતવણી છે. કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડાની ગતિ 50 કિમી પ્રતિ કલાક સુધી હોઈ શકે છે.રાજ્યમાં વાવાઝોડા અને વરસાદની ગતિ ધીમી પડી ગયા બાદ હવે ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગે બુધવારે 7 જિલ્લામાં તીવ્ર ગરમી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જોકે, બપોરે 15 જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની શક્યતા છે.
આ ચોમાસાની ઋતુમાં દેશમાં સરેરાશ 106% વરસાદની શક્યતા છે
આ વખતે ચોમાસાની ઋતુ (જૂનથી સપ્ટેમ્બર)માં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે 106% સુધી વરસાદ પડી શકે છે. જૂન મહિનામાં પણ વરસાદ સામાન્ય કરતાં વધુ રહેશે.