By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    2 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    3 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    1 day ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    1 day ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    44 minutes ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    2 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    3 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    3 hours ago
    ભારત પ્રશાસિત કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    22 hours ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    34 minutes ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    2 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    2 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    1 day ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજથી મોળાકત વ્રતનો પ્રારંભ 5 દિવસ બાળાઓ કરશે ગોરમાનું પૂજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આજથી મોળાકત વ્રતનો પ્રારંભ 5 દિવસ બાળાઓ કરશે ગોરમાનું પૂજન
રાજકોટ

આજથી મોળાકત વ્રતનો પ્રારંભ 5 દિવસ બાળાઓ કરશે ગોરમાનું પૂજન

Khaskhabar Editor
Last updated: 2024/07/17 at 6:02 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

આજે અષાઢ સુદ અગિયારસને તારીખ 17ને બુધવારથી મોળાકત વ્રતનો પ્રારંભ થયો છે. જે અષાઢ સુદ પૂનમના દિવસે વ્રત સમાપ્ત થશે. આ દિવસે બાળાઓ રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરશે. આ વ્રતનું નાની બાળાઓમાં અનેરું મહત્ત્વ હોય છે.

- Advertisement -

વૈદિકકાળથી વ્રતની પરંપરા શરૂ થયેલી છે. વ્રતનો સાદો અર્થ ‘નિયમ’ થાય છે, પરંતુ આમાં જ્યારે ધર્મ ભળે એટલે તેનો અર્થ ‘ધર્મસંગત આચરણ’ એવો અર્થ થાય છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનાને વ્રતના મહિના તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અષાઢ સુદ અગિયારસથી કુમારિકાઓને મનભાવન ભરથાર (પતિ) પ્રાપ્ત કરાવનારું ગૌરીવ્રતની શરૂઆત થાય છે. જેને મોળાકત વ્રત કહેવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કે, આ વ્રત ક્યારે કરવામાં આવે છે, આ વ્રતને કોણ કરી શકે છે, અને આ વ્રત કરવાની રીત શું હોય છે.

મોળાકત વ્રત ક્યારે છે?
મોળાકત વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે. આ વ્રત આ વર્ષે 17 જુલાઈથી 21 જુલાઈ સુધી રાખી શકાશે. એટલે કે, બુધવારથી રવિવાર સુધી એમ પાંચ દિવસ રાખવાનું હોય છે. અષાઢ સુદ અગિયારસથી શરૂ થાય છે અને પાંચ દિવસ કે પૂર્ણિમા પછી સમાપ્ત થાય છે.

મોળાકત વ્રત કોણ રાખી શકે છે?
6 થી 15 વર્ષની કુમારિકાઓ આ વ્રત રાખી શકે છે. તેઓ પોતાના સુંદર ભવિષ્ય માટે અને યોગ્ય વરની પ્રાપ્તિ માટે મોળાકત વ્રત રાખે છે. જેમાં પાંચ દિવસ પૂજા અને નિયમ મુજબ મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે. આ સિવાય ખારું, તીખું છોડી મોળા પદાર્થો લેવાના હોય છે.

- Advertisement -

કઈ રીતે વ્રત રાખી શકાય?
આ વ્રત મૂળ શિવની આરાધનાનું વ્રત છે. એક માન્યતા મુજબ, માતા પાર્વતીએ આ વ્રત કરેલું છે. માતા પાર્વતીનું એક નામ ગૌરી હતું. તેથી તેને ગૌરી વ્રત કહેવામાં આવે છે. જેમાં કુમારિકાઓ પોતાના ઘરે કોડિયામાં જવારા વાવે છે. એમ કહેવાય છે કે,આમાં સાત પ્રકારના ધાન્ય વાવવાના હોય છે. પણ આપણે અહીં મોટા ભાગે ઘઉંના જવારા વાવે છે. પછી તેના પર રૂના નાગલા બનાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવેછે. સવારે તેના પૂજનમાં ફળ, ફૂલ અને નાગલા ચઢાવવામાં આવે છે. અને મંદિરે તેની પૂજા કરવામાં આવે છે. આ વ્રત પાંચ વર્ષ રાખવાનું હોય છે.

માતા પાર્વતીનું પ્રતીક ‘જવારા’
‘જવારા’ માતા પાર્વતીનું પ્રતીક છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને ‘નાગલાં’ બનાવી જવારાને ચઢાવાય છે. ‘નાગલાં’ શિવનું પ્રતીક છે. જેથી ગૌરી વ્રતમાં તેનું ખાસ મહત્વ રહેલું છે.

પૂજા કરવાની રીત
વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને, વાવેલા ‘જવારા’ અને ‘નાગલાં’ પૂજાપા સાથે એક થાળીમાં લઈ સમૂહમાં શિવમંદિરે જાય છે. મંદિરે આવી જવારાને નાગલાં ચઢાવી અક્ષત-કંકુ દ્વારા ષોડશોપચારે પૂજા કરે છે. પૂજા કરીને શિવ-પાર્વતી પાતે મનગમતો ભરથાર માંગી, અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. પાંચ દિવસના વ્રત દરમિયાન કુમારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને ‘મોળા વ્રત-મોળાકત’ કહે છે. આ વ્રતમાં શિવ શક્તિનું પૂજન કરવામાં આવે છે. જેનાથી મનોકામના પૂર્ણ થાય છે. કુમારીઓ જવારા વાવે છે. જેથી તેને પ્રકૃતિ વિશે પણ જ્ઞાન મળે છે. સાથે તેનું મહત્વ પણ સમજાય છે. આ વ્રત કરવાથી તેમને ધાર્મિક વૃત્તિની સાથે પોતાના ધર્મ પ્રત્યે આકર્ષણ થાય છે.

You Might Also Like

રાજકોટ માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટમાં ફરી વિવાદ: ગેરબંધારણીય ચૂંટણી જાહેર થતા ચેરિટી કમિશનરનો સ્ટે

રાજકોટ મહાપાલિકાના ટી.પી.શાખા કાર્યવાહી: વોર્ડ નં – 11 અને 12માં અનઅધિકૃત બાંધકામ પર ડિમોલીશન

મીડિયા કર્મીઓ માટે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પના પ્રથમ દિવસે 50થી વધુ પત્રકારોએ લાભ લીધો

વી.વી.પી.ના પ્રોફેસર ડો. સ્નેહાબેન પંડ્યાની જ્વલંત સિદ્ધિ: નેશનલ પેરા સ્વિમિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

સૌરાષ્ટ્ર યુનિ.ની જુડો બહેનોની ઝળહળતી સિદ્ધિ: ચાર ખેલાડીઓ ઓલ ઈન્ડિયા માટે ક્વૉલિફાય

TAGGED: children, Molakat Vrat, worship Gorma
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ
Next Article જયા પાર્વતી વ્રત દરમિયાન મીઠાના ઉપયોગ પર શા માટે પ્રતિબંધ છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી
હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા
જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટમાં ફરી વિવાદ: ગેરબંધારણીય ચૂંટણી જાહેર થતા ચેરિટી કમિશનરનો સ્ટે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાના ટી.પી.શાખા કાર્યવાહી: વોર્ડ નં – 11 અને 12માં અનઅધિકૃત બાંધકામ પર ડિમોલીશન

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

મીડિયા કર્મીઓ માટે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પના પ્રથમ દિવસે 50થી વધુ પત્રકારોએ લાભ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?