ટીએમસી નેતા મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધી: હવે બંગલો ખાલી કરવાની મોઇત્રાને મળી નોટિસ
ખાસ-ખબર સંવાદદાતા
ઝખઈ નેતા મહુઆ મોઇત્રાની લોકસભાની સદસ્યતા રદ્દ થયા બાદ પણ મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. મહુઆ મોઇત્રાને 30 દિવસમાં સરકારી મકાન ખાલી કરવા નોટિસ મોકલવામાં આવી છે. મહત્વનું છે કે કેશ ફોર ક્વેરી મામલે મહુઆ મોઇત્રાની લોકસભામાં સદસ્યતા રદ કરવામાં આવી હતી. જે બાદ તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ)ના સાંસદ મહુઆ મોઇત્રા લોકસભા સભ્યપદ છીનવી લેવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેશ ફોર ક્વેરી કેસમાં પ્રશ્નોથી ઘેરાયા બાદ અને એથિક્સ કમિટીએ લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કર્યા બાદ લોકસભા અધ્યક્ષે તેમને નિષ્કાસિત કર્યા હતા. હવે આના વિરોધમાં મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના ઈશારે સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમની વિરુદ્ધ લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી હતી અને તપાસની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ પુરાવા વકીલ જય અનંત દેહાદ્રાઇ દ્વારા આપવામાં આવ્યા છે. લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં નિશિકાંત દુબેએ કહ્યું હતું કે તેમને વકીલ અને મહુઆના પૂર્વ મિત્ર જય અનંત દેહાદ્રાઇ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તેમણે મોઇત્રા અને જાણીતા બિઝનેસ ટાયકૂન દર્શન હિરાનંદાની વચ્ચે પ્રશ્નો પૂછવા માટે લાંચની આપ-લે અંગેના પુરાવા શેર કરવામાં આવ્યા હતા. એવું જણાય છે કે જય અનંતે એક વિગતવાર સંશોધન કર્યું જેના આધારે તેમણે તારણ કાઢ્યું છે કે તાજેતરમાં જ મોઇત્રા દ્વારા પૂછવામાં આવેલ કુલ 60 પ્રશ્નો માંથી 50 પ્રશ્નો દર્શન હિરાનંદાની અને તેની કંપનીના વ્યવસાયિક હિતોને બચાવવા માટે પૂછ્યા હતા.
મોઇત્રાની મુશ્કેલી વધી, 30 દી’માં સરકારી મકાન ખાલી કરવા નોટિસ
