ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેન્સરની કિમોથેરાપીની સારવાર લેતા મુકેશભાઈ સંઘવી સાથે વર્ચ્યુલી સંવાદ કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.આ અંગે મુકેશભાઈએ જણાવ્યું હતું કે, જીવનમાં પહેલી વખત વડાપ્રધાન સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો છે. વડાપ્રધાન સાથે વાત કરી મારી તબિયત વધુ સારી થવાનો આત્મ વિશ્ર્વાસ વધ્યો છે અને ધન્યતાની લાગણી અનુભવુ છું. તેમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગના નોડલ ઓફિસર અજય પરમારે જણાવ્યું હતું. આ તકે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ નયન લકુમ, સિવિલ સર્જન ડો. પાલા, આરએમઓ ડો.સોલંકી, સીડીએમઓ સંજય કુમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ સિવિલમાં કિમોથેરાપીની સારવાર લેતાં દર્દી સાથે મોદીનો વર્ચ્યુઅલી સંવાદ
