– સૌથી પહેલાં નામીબિયાથી આવેલા આઠ ચિત્તાને કૂનો જંગલમાં છોડ્યા બાદ રાષ્ટ્રજોગું સંબોધન કરશે: આ પછી મધ્યપ્રદેશમાં સ્વયં સહાયતા સંમેલન
– વિશ્વકર્મા જયંતી પર આઈટીઆઈ વિદ્યાર્થીઓના દિક્ષાંત સમારોહને સંબોધન તેમજ સાંજે નેશનલ લોજિસ્ટિક પોલિસીનો કરાવશે શુભારંભ
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે 72 વર્ષના થઈ ગયા છે. પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન ચાર મહત્ત્વના કાર્યક્રમોને સંબોધન કરશે. સૌથી પહેલાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ નામીબિયાથી આઠ ચીત્તા ભારત આવવાના પ્રસંગે રાષ્ટ્રને સંબોધિત કરશે.
આ પછી તેઓ અન્ય ત્રણ મહત્ત્વના કાર્યક્રમોમાં પણ સામેલ થવાના છે. આજથી ભાજપ ‘સેવા અભિયાન પખવાડિયા’ની શરૂઆત પણ કરશે. પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન સૌથી પહેલાં 70 વર્ષ પહેલાં વિલુપ્ત જાહેર કરી દેવાયેલા ચિત્તાઓને ભારત લાવવાના પ્રસંગે રાષ્ટ્રને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે નામીબિયાથી આઠ ચિત્તા આજે ભારત આવી ચૂક્યા છે અને તમામને કૂનો રાષ્ટ્રીય જંગલમાં છોડવામાં આવ્યા છે. આ પછી વડાપ્રધાન પોતાના સંબોધનમાં વન્યજીવ અને પર્યાવરણની સુરક્ષા મુદ્દે પોતાની વાત કહેશે.
- Advertisement -
રાષ્ટ્રજોગ સંબોધન બાદ વડાપ્રધાન મધ્યપ્રદેશના સ્વયં સહાયતા સંમેલનને સંબોધિત કરશે. ત્યારપછી વિશ્વકર્મા જયંતીના પ્રવસે આઈટીઆઈના વિદ્યાર્થીઓના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં અંદાજે 40 લાખ જેટલા વિદ્યાર્થીઓ સામેલ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પછી સાંજે વડાપ્રધાન નેશનલ લોજિસ્ટિક પોલિસીનો શુભારંભ કરીને પોતાના વિચારો પ્રસ્તુત કરશે.