ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના ’આઈકોનિક વીક સમારોહ’નુ ઉદ્ધાટન કર્યુ. આ અવસરે તેમણે 1,2,5,10 અને 20 રૂપિયાના સિક્કાની નવી સિરીઝ પણ જારી કરી. આ સિક્કા આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાને આ અવસરે કહ્યુ કે આ સિક્કા સતત લોકોને અમૃત કાળના લક્ષ્યોની યાદ અપાવશે અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરશે.
વડાપ્રધાને આ કાર્યક્રમમાં હાજર નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના અધિકારીઓ, કર્મચારીઓને કહ્યુ, આપ સૌ આ વારસાનો ભાગ છો. દેશના સામાન્ય જન ના જીવનને સરળ બનાવવુ હોય, કે દેશની અર્થવ્યવસ્થાને સશક્ત કરવાની હોય, છેલ્લા 75 વર્ષોમાં અનેક સાથીઓએ આમાં ખૂબ યોગદાન આપ્યુ છે. વીતેલા વર્ષોમાં નાણા મંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલયે પોતાના કાર્યો દ્વારા, યોગ્ય સમયે સાચા નિર્ણયો દ્વારા પોતાનો એક વારસો બનાવ્યો છે. એક શ્રેષ્ઠ સફર નક્કી કરી છે. નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલય 6થી 11 જૂન સુધી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આઈકોનિક સમારોહ આયોજિત કરશે.