ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
નવી દિલ્હીમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ મુલાકાત બાદ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચકોર ચર્ચા શરૂ થઈ છે. મોઢવાડિયાએ રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે પણ મુલાકાત કરી છે.
- Advertisement -
આ મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની શક્યતાઓને બળ આપતી દેખાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોઢવાડિયાને કેબિનેટમાં મહત્વપૂર્ણ પદો મળવાની શક્યતા છે, જેમાં એકથી વધુ મંત્રાલય સોંપવામાં આવી શકે છે. આ બધાની વચ્ચે, પાર્ટી અને સરકારના આંતરિક સમીકરણો અંગે અનેક તર્ક-વીતર્કો ઊભા થયા છે. મોઢવાડિયાના સમર્થકો અને વિશ્લેષકો આ મિલનને રાજ્યના રાજકારણમાં મોટો ફેરફાર લાવનાર પગલું માને છે. જો કે, આ સંબંધમાં કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી, પરંતુ આ મુલાકાતો આગામી દિવસોમાં વિશેષ મહત્વ ધરાવતી હોય તેવું લાગી રહ્યું છે.