લોકોની સમસ્યા તાત્કાલિક દૂર કરવા ધારાસભ્ય મેદાને
જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયાએ પ્રજાના પ્રશ્ર્ને કમિશનરને લખ્યો પત્ર
- Advertisement -
રોડ-રસ્તા, પાણી, સફાઈ, ગંદકી, દબાણ સહિતની અનેક સમસ્યાઓ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જુનાગઢના લોકો છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્રની ઉદાસીનતા કારણે ઘણી સમસ્યા ઓનો સતત સામનો કરી રહયા છે અને અમુક સમસ્યાઓના કારણે લોકોના અકસ્મા સાથે મૃત્યુના બનાવો પણ બન્યાન છે. માનસિક યાતનાઓ પણ ભોગવે છે અને આ સમસ્યાાઓ હલ કરવી એ કોર્પોરેશનના હાથમાં સત્તામાં અને ફરજમાં પણ છે.તેવું ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવીને કમિશનર જુનાગઢને તાત્કાલિક સમસ્યાઓ માંથી લોકોને છુટકારો અપાવવા નીચે મુજબ લેખિત પત્રથી સૂચના આપેલ છે.
સમસ્યા-1 વરસાદના કારણે રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે જે રીપેર કરવાનું તાત્કાાલિક શરૂ કરવું કેમકે રસ્તાગના કારણે લોકો સતત પરેશાન છે.
સમસ્યા-2 વરસાદ તો આખા રાજ્યેમાં થયો છે પણ જૂનાગઢમાં જે ધૂળ ઉડે છે સતત તે બીજા કોઈ શહેરમાં જોવા મળતી નથી. ડિવાઇડર ની બંને સાઈડમાં માટી જામેલી છે જેમાં ઘાસ ઉગી ગયું છે અને આ ધૂળના કારણે લોકોના આરોગ્યજ ઉપર અસર પડે છે તો તાત્કાનલિક અસરથી આ ઘાસ ને દુર કરવું જોઈએ માટી સાફ કરવી જોઈએ કોર્પોરેશન પાસે વેક્યુમ મશીન છે એ શું કામનું છે ? તે ચાલુ કરવું જરૂરી છે જેનાથી ધૂળની ડમરી ઓછી મુખ્યચ રસ્તાલઓ સાફ કરવા જોઈએ સફાઈ જાળવી રાખવી જોઈએ. પ્રવાસીઓ મોટા પ્રમાણમાં જૂનાગઢમાં આવે છે એ પણ જુનાગઢની નકારાત્મ છાપ લઈને જાય છે આ સિવાય જૂનાગઢના લોકો પણ આ બાબતે સતત પરેશાન છે આ સમસ્યાજ તાત્કાનલિક દૂર થવી જોઈએ.
- Advertisement -
સમસ્યા-3 શહેરમાં જે ચોમાસા પહેલાના અધૂરા કામો છે ભૂગર્ભ ગટર છે, ટોરેન્ટના કામો છે જેના ખાડા એમનેમ ખોદેલા પડેલા છે લોકોને સતત ચાલવામાં, વાહનમાં પરેશાની થઈ રહી છે અને ઉંડા ખાડાના કારણે ઘણા અકસ્માાત પણ બને છે, જનતા ખૂબ હેરાન થઈ રહી છે. હવે તો આ કામ તાત્કાાલિક પૂરા કરાવો. તો કઈ અંશે લોકોને પણ રાહત થાય.
સમસ્યા-4 જે અધૂરા કામો છે તેની સ્થિીતિ શું છે અત્યારે કયા સ્ટેોજે છે વગેરે બાબતની બધા ડિપાર્ટમેન્ટે વાઈઝ સમીક્ષા થવી જોઈએ અને સતત રિપોર્ટ લેવો જોઈએ બીજું, એક વખત રોડ બનાવ્યા પછી ફરીથી રોડનું ખોદવાના પડે તે ખાસ વ્યવસ્થાસ ઊભી કરવી તેમ છતાં જુઓ રોડ બન્યાો પછી ખોદવા પડે કયાંય તો તે જવાબદાર અધિકારની જવાબદારી ફિકસ કરી પગલાં લેવા જોઈએ કેમકે લોકોમાં તંત્રની છાપ એવી છે કે રોડ તો બની જાય પણ ગમે ત્યાારે ખાડા ખોદાઈ શકે છે તો સ્થિીતિ એની એ જ છે અને સરકારના અને જનતાના નાણાનો દૂરવ્યય થાય છે.
સમસ્યા-5 જૂનાગઢમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ છે. બહારના લોકો અહીં ઢોર મૂકી જાય છે, જે પણ હોય તે લોકો ખૂબ હેરાન છે. અમુક કિસ્સા8માં લોકોના જાન પણ ગયા છે અને રોડ ઉપરથી પશુઓને દૂર કરવા અંગેની બાબતની નામદાર હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે સરકાર પણ આ બાબતે સતત જાગૃત રહીને સૂચનાઓ આપતી રહે છે. છતાં પણ જુનાગઢની રોડ ઉપર રેઢીયાર ઢોરનો ત્રાસ જોતા નામદાર અદાલત કે સરકારની સૂચનાઓના અમલવારી કરવાની દરકાર કોર્પોરેશન રાખતું નથી તાત્કાીલિક અસરથી આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
સમસ્યા-6 ઘાસચારો જાહેર જગ્યા પર વેચવા માટેની મનાઈ ફરમાવતી જાહેરનામું કોર્પોરેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પરંતુ આ ઘાસચારો જાહેરમાં સતત વેચાણ થાય છે ત્યાં ગંદકી પણ ખૂબ થાય છે. જ્યાં ત્યાં ઢોર ભેગા થવાના કારણે ઘણા લોકો ત્યાં પસાર થાય છે એને મારવા દોડે છે, અમુક પશુઓના કારણે અમુક લોકોના મૃત્યુ પણ થયા છ. રેઢિયા ઢોર અને ઘાસચારાની બાબત બંને બાબતમાં ઘણા લોકોને અસર થઈ છે. તંત્રએ ફક્તબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને અમલવારી કરાવવા તરફ ઘ્યોન આપેલ નથી. જાહેરનામાનો જો અમલ ન કરાવી શકાતો હોય તો જાહેરનામાનો શું મતલબ છે જાહેરનામા ભંગ બદલ ભંગ કરનાર સામે શા માટે પગલાંલેવામાં આવતા નથી તે સમજાતું નથી જૂનાગઢના લોકો સતત બધી રીતે પરેશાન થાય એની નોંધ વહીવટી તંત્ર બિલકુલ લેતુંજ નથી એ આનાથી સાબિત થાય છે.
સમસ્યા-7 જુનાગઢ એક આઘ્યાતત્મિક નગરી છે અહીં જૈનોની વસ્તીત પણ ઘણી છે, પ્રાત: સ્મસરણીય નરસિંહ મહેતાની નગરી છે. જેથી ઘણી વખત આપને પત્ર લખેલા છે કે જાહેર એવા સ્થ્ળોએ નોનવેજની લારીઓ રાખવા દેવામાં ના આવે આવા સ્થળો જેવા કે મજેવડી દરવાજા, કાળવા ચોક, સરદાર ચોક, રેલવે સ્ટેથશન, જોષીપરા, સરદાર બાગ, તળાવ દરવાજા રોડ, મોતીબાગ, ઝાંઝરડા ચોકડી, મધુરમ ચોકડી, ખામધ્રોલ ચોકડી, સાબલપુર ચોકડી, ગિરનાર દરવાજા, અને ખાસ કરીને ભવનાથ વિસ્તાખર આવા મુખ્યી ચોક અને બજારો છે ત્યાં જાહેરમાં આ વિસ્તારરમાં આ લોકો ખુલ્લેઆમ વેચાણ કરે છે જેનાથી ધાર્મિક જનતાની લાગણી સતત દુભાય છે, તાત્કાકલિક અસરથી આ સમસ્યાનનો કાયમી ઉકેલ લાવવો.
સમસ્યા-8 શહેરના જાહેર માર્ગો ઉપર ફૂટપાથ ઉપર લારી ગલ્લા અને પાથરણા વાળાઓએ ખોટી રીતે જગ્યા પર દબાણ કરી ધંધો કરે છે અને આ ધંધાના કારણે વાહન વ્યીવહારના જાહેર રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યો સતત રહે છે, બીજું આ જગ્યાા ઉપર આવારા તત્વો અને વિધર્મીઓ દ્વારા પણ જનતાને હેરાનગતિ થાય છે. આ જૂનું શહેર છે.જગ્યો સાંકડી રહેતી હોય એટલે ટ્રાફિકની સમસ્યાી વધે છે એટલે દબાણો નિયંત્રણમાં લેવા જોઈએ નિયંત્રણમાં લેવાના બદલે દબાણો વધતા જાય છે આ સમસ્યાય માંથી લોકોને છુટકારો કયારે આવશે.
સમસ્યા-9 પીવાના પાણીની વ્યવસ્થાા બાબત ફિલ્ટતર યુક્તઈ પાણી વિતરણ વ્ય્વસ્થા કરવી જોઈએ પાણી વિતરણમાં પણ ઘણી જગ્યાયએ બે બે ત્રણ ત્રણ કલાક પાણી છોડવામાં આવે છે સતત બગાડ થાય છે અને એની સામે ઘણા વિસ્તાછરમાં ત્રણ ત્રણ દિવસે વિતરણ કરવામાં આવે છે ત્યાંકના લોકો પાણીના અભાવે હેરાન થાય છે. તો આ સ્પાષ્ટ આયોજનનો અને વ્યોવસ્થાનો અભાવ બતાવે છે તો સુંદર વ્યષવસ્થાન કરવી જોઈએ. દરેક વિસ્તાારમાં સમય મર્યાદામાં અને એકસરખું વિતરણ થાય, એક સરખા દિવસો મુજબ એક સરખો સમય નક્કી કરીને પાણી મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. દરેક જગ્યારએ નોંધ રેકોર્ડ ઉપર થવી જોઈએ કે કેટલું પાણી વપરાય છે તો પાણી વિતરણ વ્યવસ્થાએને સુઆયોજિત કરી અને સતત ફોલોઅપ લેતા રહેવું જોઈએ જેથી વ્યયવસ્થા સારી રીતે જળવાઈ શકે.
સમસ્યા-10 જુનાગઢની જનતા માટે સ્વિમિંગ પૂલ ખુલ્લો મુકેલ છે તેમાં લોકો માટે કઈ રીતે વ્યીવસ્થા છે તેની માહિતી ઉપલબ્ધ કરાવવી ત્યાં સ્થળ ઉપર ટ્રેનરો રહે,મહિલાઓ, બાળકો અને શહેરીજનો માટે શું વ્યવસ્થાં થાય, અને જે કાંઈ વ્યિવસ્થા કરવામાં આવે છે તે વ્યવસ્થાંની ડિઝાઇન લોકો સમક્ષ તાત્કાલિક મૂકવી લોકોને આ યુનિટનો લાભ લેવા પ્રેરિત કરવા જોઈએ, તો આપણી પાસે સંસાધનો હોવા છતાં વ્યવસ્થાના અભાવે લોકો આના લાભથી વંચિત રહે છે. શહેરના દરેક બોર્ડમાં વોર્ડવાઇઝ કર્મચારી/અધિકારીઓને સાથે રાખીને તે વિસ્તારના લોકો સાથે લોક દરબાર યોજીને સ્થળ પર લોકોના પ્રશ્ર્નો સાંભળવા જોઇએ અને સમસ્યાનો સ્થળ પર નિકાલ થાય તેનો ત્યાં નિકાલ કરવો બાકી ઓફિસમાં થાય તો તે સમય આપીને નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ. જેથી ઓનલાઈન થતી અરજીઓ કે જેનુ સોલ્યુશન થતુ નથી તેવા પ્રશ્ર્નોના પણ સમયસર નિકાલ થઈ શકે અને લોકો હેરાન ન થાય લોકોમાં સારી છાપ ઊભી થાય અને તંત્રનું કામનું ભારણ પણ ઘટાડી શકાય.