જૂનાગઢ રાજ્ય સરકાર દ્વારા ગાંધી જયંતીદિનથી તા.8 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત અધિક્ષકશ્રી, નશાબંધી અને આબકારી કચેરી-જૂનાગઢ દ્વારા નશાબંધી સપ્તાહ-2023નો ઉદ્ઘાટન સમારોહ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સમારોહમાં પટેલ કેળવણી મંડળના પ્રમુખ સવજીભાઈ મેનપરા, રતિંભાઈ મારડિયા સહિતના મહાનભાવો ઉપસ્થિત રહ્યા હતા.અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ સાંપ્રત સમયમાં નારી શક્તિની એક તંદુરસ્ત અને સ્વસ્થ સમાજ રચનામાં યોગદાન વિશે વિસ્તૃત સમજ આપી હતી. ઉપરાંત સરકાર નારી ઉત્થાન અંગેના કાર્યક્રમોની જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે જાહેર જનતામાં વ્યસન મુક્તિ માટે જાગૃતિ ફેલાય તેવા હેતુસર નશાબંધી જન જાગૃતિ ટેબ્લોને ધારાસભ્યશ્રી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.નશાબંધી અધિક્ષક બી.પી. જાડેજા દ્વારા સમગ્ર સપ્તાહ દ્વારા ચાલનારા વિવિધ કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.
જૂનાગઢમાં નશાબંધી સપ્તાહ-2023નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય સંજય કોરડિયા

Follow US
Find US on Social Medias