ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
દેશની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતના આપેલા ચુકાદાને લઈને દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન જાહેર કરાયું હતું જેમાં મોટાભાગે કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભારત બંધના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લાના કેટલાક તાલુકામાં બજારો બંધ તો કેટલાક શહેરની બજારો રોજિંદા નિત્ય ક્રમ મુજબ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જ્યારે લખતર ખાતે દલિત સમાજ દ્વારા રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. થાનગઢ ખાતે બજારો સજ્જડ બંધ નજરે પાડી હરી ત્યારે સુરેન્દ્રનગર ગણપતિ ફાટક ખાતે દલિત સમાજના ટોળા દ્વારા ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો હતો. આ તરફ પાટડી ખાતે મુખ્ય બજાર ખાતે દલિત સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.