ક્રિષ્ના સ્કૂલના ગજેરા દંપતીનું સરાજાહેર જૂઠ
વાલીઓ જ કહે છે,તેમનાં સંતાન બબ્બે – ચાર-ચાર વિષયમાંફેઇલ થયા છે!
- Advertisement -
પોકળ દાવાઓ કરતા શાળા સંચાલકો પર ફોજદારી ફરિયાદ થવી જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
ક્રિષ્ના સ્કૂલના માલિક મહેશ ઉર્ફે મહેન્દ્ર ગજેરા અને સંચાલક તૃપ્તિ ગજેરાના પાપ છાપરે ચઢી પોકરવાના શરૂ થઈ ચૂક્યા છે. શહેરના ગૌતમનગર વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સ્કૂલ અને ભાવનગર રોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનનેશનલ સ્કૂલમાં ચાલતી ગેરરીતિ અને ભ્રામક જાહેરાતોની વધુ કેટલીક પોલ ખુલી છે. આ વર્ષે ક્રિષ્ના સ્કૂલ સાયન્સ-કોમર્સનું 100 પરિણામ આવ્યાના સંચાલક તૃપ્તિ ગજેરાના દાવાની તેમના જ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોલ ખોલી નાખી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના જણાવ્યા મુજબ ઘણા વિદ્યાર્થીઓ તો ત્રણથી ચાર વિષયમાં નાપાસ થયા છે. શાળાનું પરિણામ સો ટકા આવ્યાની વાત તો તદ્દન ખોટી છે
ખાસ-ખબર દ્વારા હાલમાં જ ક્રિષ્ના સ્કૂલના ડમી વિદ્યાર્થીઓ, સીબીએસઈ વિદ્યાર્થીઓના નામ ક્યાંક બોલતા હોય અને અભ્યાસ ક્યાંક કરતા હોય તે વિષયક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ક્રિષ્ના સ્કૂલના વાલીઓ અને વિદ્યાર્થીઓ જાગૃત બન્યા છે. ક્રિષ્ના સ્કૂલના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, આ વર્ષે ક્રિષ્ના સ્કૂલનું સો ટકા પરિણામ આવ્યું નથી છતાં સંચાલક તૃપ્તિ ગજેરા શાળાનું પરિણામ સો ટકા આવ્યાનો ખોટો દાવો કરે છે અને અન્ય વિધાર્થીઓ તેમજ વાલીઓને ગેરમાર્ગે દોરે છે. આ મામલે શિક્ષણજગતના જાણકારોએ આગળ આવવાની જરૂર છે. જોકે વાલીમંડળે પણ આ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને હવે આગામી સમયમાં ક્રિષ્ના સ્કૂલમાં તૃપ્તિ મહેન્દ્ર ગજેરા દ્વારા ચલાવાતી અન્ય કેટલીક ગેરરીતિની પોલ ખોલવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.
દોઢ લાખ ફી ભરી છતાં 5 વિષય માત્ર બે શિક્ષકો જ ભણાવતા: ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થી
ખાસ-ખબર દ્વારા વર્તમાન વર્ષે ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ક્રિષ્ના સ્કૂલના અડધો ડઝન જેટલા વિદ્યાર્થીઓએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, સાયન્સ-કોમર્સ ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, સ્કૂલનું પરિણામ સો ટકા આવ્યું નથી. એટલું જ નહીં, પાંચ જેટલા વિષય વચ્ચે માત્ર બે શિક્ષકો હોવાથી અમે નાપાસ થયા છીએ. ક્રિષ્ના સ્કૂલમાં દોઢ લાખ જેટલી ફી ભરવા છતાં શિક્ષણ બરાબર અપાયું નહતું અને જ્યારે તૃપ્તિ ગજેરાને આ અંગે ફરિયાદ કરતા તો તેઓ થઈ જશે થઈ જશે એવું કહ્યા કરતા, અંતે કશું ન થયું એટલે અમારું થઈ ગયું અને અમે નાપાસ થયા એવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
ક્રિષ્ના સ્કૂલના સંચાલક તૃપ્તિ મહેન્દ્ર ગજેરાના પોકળ દાવાઓ અને શાળામાં ચાલતી ગેરરીતિનો ભોગ બનેલા જાગૃત વાલીઓ-વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખાસ-ખબરનો મો. નં. 76982 11111 પર સંપર્ક કરે