આધુનિક યુગમાં સગીરોમાં હૃદયરોગનુ વધતું પ્રમાણ ચિંતાજનક : ડો. અભિષેક રાવલ
ઇન્ટ્રા વેસ્ક્યુલર ઇમેજિંગથી નળીના બ્લોકની લાક્ષણિકતા તપાસી સ્ટેન્ટ મૂકવા કે ન મૂકવા તેનું સચોટ માર્ગદર્શન મળે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આધુનિક યુગમાં સગીરોમાં હૃદયરોગનુ વધતું પ્રમાણ ચિંતાજનક છે. આનાથી પણ વિશેષ, જ્યારે આ રોગ સગીરોમાં જોવા મળે, તો વિશેષ ચિંતા ઉપજાવે છે. આવા જ એક કિસ્સામાં, 17 વર્ષના એક સગીરને મધરાતે અચાનક ગભરામણ અને છાતીમાં દુ:ખાવાની તકલીફ ઊભી થતા તેના મિત્રો દ્વારા સત્વરે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવેલ. ઊઈૠ પરથી પ્રાથમિક રીતે તેને હાર્ટ એટેકનું નિદાન થતા તેને જરૂરી ઇમરજન્સી સારવાર આપીને ડો. અભિષેક રાવલે તેની એન્જીયોગ્રાફી કરી જેમાં હાર્ટની એક મોટી નળીમાં લોહી ગંઠાવાથી થયેલી બ્લોક જોવા મળી હતી. આ સગીરને જોખમ પરિબળોનું વિશ્લેષણ કરતા ખૂબ વધારે કોલેસ્ટ્રોલ અને હૃદયરોગની ફેમિલી હિસ્ટ્રી મળી આવી હતી. સારવારના ભાગ રૂપે તેને લોહી પાતળું કરવાની દવાઓ થોડા દિવસ આપીને ફરથી એન્જીયોગ્રાફી કરતા ક્લોટ અને બ્લોકેજ થોડા ઓછા થયેલા જોવા મળ્યા.
પરિસ્થિતિની સંગિનતા એ હતી કે 17 વર્ષની સગીર ઉંમરે સ્ટેન્ટ મૂકવો પડે તે ઘણી ગંભીર બાબત કહેવાય અને ડો. રાવલ આ સગીરને તેમાંથી બચાવવા માંગતા હતા. તેનાથી વિપરીત, જો સ્ટેન્ટ ન મુકાય અને બાકી રહી ગયેલા બ્લોકેજના કારણે યુવા વયે બીજો હાર્ટ એટેક આવે તો પણ સારવારની નિષ્ફળતા પુરવાર થાય અને યુવા વયે જીવનનું જોખમ ખડું થાય. તેથી બ્લોકેજનું સચોટ અને ઝીણવટભર્યું નિદાન આવશ્યક હતુ.
આ સ્થિતિમા ડો. અભિષેક રાવલે ઓપ્ટિકલ કોહેરેન્સ ટોમોગ્રાફી (ઘાશિંભફહ ઈજ્ઞવયયિક્ષભય ઝજ્ઞળજ્ઞલફિાવુ) નામની અદ્યતન ટેક્નોલોજીની મદદથી બ્લોકેજના ક્લોટનું અવલોકન અને નિદાન કરીને સ્ટેન્ટ ન મૂકવાનો નિર્ણય કર્યો. આ એક દૂરબીન પ્રકારનું સાધન છે, જે રશબયિ જ્ઞાશિંભત પર કામ કરે છે. તેને હૃદયની નળીઓમાં પસાર કરીને નળીની આંતરિક દિવાલોનું સચોટ અવલોકન થઈ શકે છે. તેઓએ જણાવ્યુ હતુ કે આ રીતે ઇન્ટ્રા વેસ્ક્યુલર ઇમેજિંગ (શક્ષિફિં દફતભીહફિ શળફલશક્ષલ) થી હૃદયની નળીઓના બ્લોકની લાક્ષણિકતાઓ તપાસીને સ્ટેન્ટ મૂકવા કે ન મૂકવા અને મૂકીએ તો કઈ પ્રકારે મૂકવા તેનું સચોટ માર્ગદર્શન મળે છે. આ માહિતી લાંબાગાળાના ભાવિ પરિણામ પર હકારાત્મક અસરો પાડે છે. આ ઉપરાંત ડો. અભિષેક રાવલે જણાવેલ કે યુવાનો અને સગીરોમાં હૃદયરોગનું વધતું પ્રમાણ ચિંતાજનક છે. જો આવી પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી હોય તો, યોગ્ય રિપોર્ટસ કરાવવા જોઈએ તથા જીવનશૈલીમા સુધારા કરવા જોઈએ.