જસદણ વિંછીયા પંથકમાં વિકાસ કામો થકી ગ્રામ્ય વિસ્તારની સુરત બદલાઈ જશે
– મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
• કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે જસદણ અને વિંછીયામાં ઓકસીજન પ્લાન્ટનુ નિર્માણ હાથ ધરાયુ.
• જસદણ ખાતે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને આટકોટમાં આયુર્વેદિક હોસ્પિટલ ઉભી કરાશે.
- Advertisement -
રાજકોટ- વિંછીયા ખાતે આશરે ૫ કરોડના ખર્ચે રોડ-બ્રિજના વિકાસ કામોના ખાતમુર્હુત કરી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે જસદણ અને વિંછીયા પંથકમાં ગ્રામ્ય સડ઼કોને પાકા રોડથી જોડી વિકાસ કાર્યોને આગળ ધપાવાશે.
આ વિસ્તારમાં પીવાના પાણી માટે નલ સે જલ યોજના અને ‘વાસ્મો’ હેઠળ ઘર ઘર પાણી પહોંચાડવાની કામગીરી સઘન બનાવાઈ હોવાનું બાવળિયાએ જણાવ્યું હતું. મંત્રી એ આ તકે ઉપસ્થિત ગ્રામજનોને ભરોસો આપતા જણાવ્યું હતું કે, અમે જે વચનો આપીએ છીએ તે અમલી કરી બતાવીએ છીએ. ગ્રામજનોને શિક્ષણ, આરોગ્ય, પાણી અને રસ્તાની સઘન સુવિધા પુરી પાડી છેવાડાના લોકોને પણ વિકાસની મુખ્યધારામાં જોડવામાં આવશે.
કોરોનાની ત્રીજી લહેર આવે તે પૂર્વે મંત્રી ની ગ્રાન્ટ માંથી જસદણ ખાતે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કામગીરીનો પ્રારંભ થઈ ચુક્યો છે, તેમજ વિંછીયા ખાતે પણ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાનું મંત્રી એ જણાવ્યું હતું.
- Advertisement -
મંત્રી એ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જસદણ ખાતે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને આટકોટ ખાતે આયુર્વેદિક હોસ્પિટલના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ચુકી છે તેમજ જલ્દી જ તેના નિર્માણની પ્રક્રિયા હાથ ધરાશે.
મંત્રી કુંવરજીભાઇએ આ તકે ગ્રામજનોને રસીકરણ માટે ખાસ ભલામણ કરતા જણાવ્યું હતું કે, આવનારી લહેરથી બચવા માટે એકમાત્ર વિકલ્પ વેક્સિનેશન છે. ભૂતકાળમાં અનેક રોગનું નિરાકરણ રસી દ્વારા થયું છે.
મંત્રી દ્વારા આજરોજ વિંછીયા ખાતે ત્રણ અલગ અલગ સ્થળોએ રૂ ૪,૯૧,૮૧,૪૧૧ ખર્ચે નિર્મિત થનારા રસ્તા તેમજ બ્રિજના ખાતમુર્હૂત કરાયા હતાં. જેમાં રૂ. ૩.૩૭ કરોડના ખર્ચે થોરિયાળી થી પીપરડી સનાળી રોડ વાઇડનિંગ, વનાળા સરતાન રોડ પર રૂ. ૬૪.૦૩ લાખના ખર્ચે હયાત કોઝવેની જગ્યાએ ૬ મિટરના ૫ ગાળા બોક્ષ તેમજ ભડલી ગામ તળમાં ભડલીથી સનાળા રસ્તા પર સી.સી. રોડનું રૂ. ૯૦.૧૬ લાખના ખર્ચે નિર્માણકાર્ય હાથ ધરાશે.
મંત્રી ની વિવિધ સ્થળોએ ખાતમૂર્હુત પ્રસંગે પંચાયતના સભ્યો અને અગ્રણીઓ સર્વે નાથાભાઈ વાછાણી, ખોડાભાઈ, કાળુભાઇ, અશ્વિનભાઈ, બચુભાઈ, કાળુભાઈ, સરપંચ ઓ ધનજીભાઈ સોલંકી, કુકાભાઈ સાદુલ, નાયબ મામલતદાર હાર્દિકભાઈ પઢીયાર, માર્ગ અને મકાન વિભાગના કપિલભાઈ સુદ્રા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.