ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યાં હતા.મંત્રીએ ભવનાથ મહાદેવ દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ તકે મંત્રીનું ભવનાથ મંદિર ખાતે મહાદેવગીરી બાપુ દ્વારા સન્માન – અભિવાદન કરવામાં આવ્યું હતું
મંત્રીએ ભવનાથ તળેટી ખાતે જુદા જુદા આશ્રમો અને સંતો મહંતોની મુલાકાત કરી હતી અને તેમણે દોલતરામ આશ્રમ સહિતની સેવાભાવી સંસ્થાઓની પ્રવૃતિઓને બિરદાવી હતી. તેમણે વેલનાથબાપુના મંદિર, દોલતરામબાપુના આશ્રમની મુલાકાત કરી હતી. દોલતરામ બાપુએ પણ મંત્રીનું સ્વાગત- સન્માન કર્યું હતું. મંત્રીએ મુચકુંદ ગુફા આશ્રમે શુભેચ્છા મુલાકાત કરી હતી અને ત્યાં મુચકુંદ ગુફા આશ્રમના મહેન્દ્રાનંદગીરી મહારાજ અને મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પાટણનાના સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્ય સભાના પૂર્વે સાંસદ શંકરભાઈ વેગડ અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
મંત્રી કુંવરજીભાઈ બાવળીયા મહાશિવરાત્રીના મેળામાં મહાદેવના દર્શન અને પૂજન-અર્ચન કર્યું
