બજેટ 2025 એક ઐતિહાસિક બજેટ છે: આ બજેટ નવી ઊર્જા અને દિશા આપનાર બની રહેશે: કેન્દ્રિય રાજ્યમંત્રી અજય ટમટા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે આરૂઢ થયા છે ત્યારે નવા વર્ષનું પહેલું પૂર્ણ બજેટ અને નાણામંત્રી સીતારમણે તેમના કાર્યકાળમાં આઠમું બજેટ સંસદમાં રજૂ થઈ ગયું છે, જેને સાર્વત્રિક આવકાર મળેલ છે. પ્રદેશની યોજના અનુસાર બજેટનો પ્રચાર-પ્રસાર થાય અને સામાન્ય માનવીથી લઈ વેપારીઓ, ઔદ્યોગિક વેપારી વ્યવસાયો, પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ થાય અને બજેટની બહોળી પ્રસિદ્ધિ થાય તે માટે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ બૌદ્ધિક સંમેલન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ઓડિટોરિયમ કોટેચા ચોક, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલું હતું.
- Advertisement -
આ સંમેલનને ભારત સરકારના કેન્દ્રીય સડક, પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી અજયભાઈ ટમટાએ બજેટ પર વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વેપારી વ્યવસાયો, એડવોકેટ, સી.એ., બિલ્ડરો, વરિષ્ઠ આગેવાનો, જ્ઞાતિઅગ્રણીઓ, સામાજિક આગેવાનો સહિતના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ અને ગોષ્ઠિનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવત તેમજ શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, ડો. ચેતન લાલસેતા, રમેશભાઈ પરમાર, પૂજાબેન પટેલ, કાશ્મીરાબેન નથવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભારત સરકારના કેન્દ્રિય રાજ્યમંત્રી અજયભાઈ ટમટા દ્વારા બજેટ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2025નું બજેટ એક ઐતિહાસિક બજેટ છે. આ બજેટથી દેશનો સર્વાંગી વિકાસ થશે અને ગુજરાત રાજ્ય જેવા રાજ્યની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની નવી ઊર્જા અને દિશા આપનાર બની રહેશે. આ બજેટમાં ખાસ કરીને ગરીબો, યુવાઓ, ખેડૂતો અને મહિલાઓને સશક્ત અને સક્ષમ બનાવવા માટે નવી નવી યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. બજેટ 2025માં રોજગારીની તકો ઉભી કરવા અને નાણાકીય સ્થિતિમાં સુધાર આવે તે માટે એમએસએમઈ અંતર્ગત કસ્ટમાઈઝડ ક્રેડીટ કાર્ડ રૂા. 5.00 લાખના પહેલા વર્ષમાં 10 લાખ મંજૂર કરવામાં આવશે, આનાથી રાજકોટના ઓટોમોબાઈલ, એન્જિનિયરીંગ અને ટેક્સટાઈલ ઉદ્યોગને વિશેષ લાભ થશે.
ગુજરાતના યુવાઓ માટે 500 કરોડ રૂપિયાના કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે જેનાથી રાજકોટમાં આઈટી, ઓટોમોબાઈલ અને રીન્યુએબલ એનર્જી સેકટરમાં યુવાઓને તાલીમ અને શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત શિક્ષા અને સ્વાસ્થ્ય, મેડિકલ શિક્ષણમાં મોટો સુધારો કરવામાં આવેલો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતનું વર્ષ 2025-26નું બજેટ આર્થિક વિકાસમાં વધારો, રોજગારીની તકો, નવા ધંધાને પ્રોત્સાહિત કરવા અને સામાજિક સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. સાથે જ ગુજરાત અને રાજકોટને માટે એક નવી આશા ને સંભાવનાઓ માટે દ્વાર ખોલવાવાળું રહેશે. આ બજેટથી કર રાહત, કૃષિ સુધાર, શિક્ષા અને સ્વાસ્થ્ય સુધારથી કેવળ આર્થિક વિકાસને વેગ મળશે જ પરંતુ સામાજિક સમૃદ્ધિ અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળવાથી આ બજેટ વિકસિત ભારતના દૃષ્ટિકોણને સાકાર કરવામાં મદદ કરશે. તેમણે અંતમાં કહ્યું હતું કે આપણે બધા મળીને બજેટના લક્ષ્યોને પૂરા કરવા માટે આપણે આપણું યોગદાન આપી રાજ્યને દેશનું સૌથી મોટું વિકસિત રાજ્ય બનાવીએ.