જૂનાગઢ નરસિંહ મેહતા યુનિ.માં ત્રણ જિલ્લાની કાર્યશાળા યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કોન્ફરન્સ કક્ષમાં ઉચ્ચ શિક્ષણ પર અખિલ ભારતીય સર્વેક્ષણ સમિતી અને નરસિંહ મહેતા યુનિ. સંલગ્ન અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની વિવિધ યુનિ., કોલેજોનાં નોડલ અધિકારીઓની તાલીમ કાર્યશાળા યોજવામાં આવી હતી. આ વર્કશોપમાં યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે શિક્ષણક્ષેત્રમાં વલણ ઘડતર, હકારાત્મક વિચારણા, પ્રેરણા, સંકલન અને સંચાલન, ટીમ બિલ્ડીંગ, ટાઈમ મેનેજમેન્ટ, નેતૃત્વ, આંતર વૈયકિત સંબંધો, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સર્જનાત્મક વિચારણા, વર્તન-વ્યવહાર તાલીમ, પ્રત્યાયન, કમ્પ્યુટર સ્કીલ, કોલેજ મેનેજમેન્ટ/એકાઉન્ટ, લાઈફ સ્કીલ, ડોક્યુમેન્ટેશન-અહેવાલ લેખન, વિદ્યાર્થી મનોવિજ્ઞાન/છાત્ર માનસની સમજ વગેરે મુદ્દાઓ સમાવિષ્ટ છે. શિક્ષણ ગુણવત્તાયુક્ત અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક લબ્ધિમાં સુધારો થાય તે હેતુસર આયોજીત આજની કાર્યશાળા આવનાર સમયમાં ઉચ્ચશીક્ષણ સંસ્થાઓમાં ખુબ ઉપયોગી પુરવાર થશે.
- Advertisement -
ડો. ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ચેરીટી બીગીન્સ એટ ધી હોમ, ચેલેન્જ ઉપાડે એજ જીતે, અને ડર કે આગે જીત હૈ…નાં સુત્રને સમજાવતા જણાવ્યુ હતુ કે શિક્ષણ અને આરોગ્યમાં ચલાવી લેવાની ભાવના કદાપી ના હોવી જોઇએ. સમાજોત્કર્ષમાં શિક્ષકની ભુમિકા મહત્વની હોય છે. ભારતીય ઉચ્ચ શિક્ષણ સુલભતાની દ્રષ્ટિએ આમૂલ છે, શિક્ષણની ઍક્સેસની સમાનતા સુનિશ્ચિત કરે છે, પરંતુ નિષ્ણાતો દલીલ કરે છે કે તેને ધોરણોમાં આમૂલ સુધારાની જરૂર છે, અભ્યાસક્રમના ઉચ્ચ ધોરણોને સુવ્યવસ્થિત કરવા અને પકડી રાખવા બંને પર ધ્યાન કેન્દ્રિત કરવું અને વૈશ્વિકીકરણ દ્વારા લાક્ષણિકતા ધરાવતી અસમાનતાઓ ઘટાડવી આવશ્યક છે. આ પ્રસંગે પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ ઉચ્ચ શિક્ષણ પર અખિલ ભારતીય સર્વેક્ષણ અને નેકની નોંધણી અને તેના પેરામિટર સમજીને ખુટતી વિગતો પુર્ણ કરવા સમજુત કર્યા હતા.