વીજળી પડવાથી એક વ્યક્તિ અને ત્રણ ભેંસના મોત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
રાજ્યમાં આ વર્ષે ચોમાસાનું આગમન વહેલાસર થઈ ચૂક્યું હોય તેવું નજરે પડે છે ત્યારે હજુ તો 16 જૂન સુધી મહારાષ્ટ્રમાં ચોમાસુ બેસે તે પૂર્વે ગુજરાતમાં 15 જૂને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 15 જૂના રોજ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા આ સાથે થોડા જ સમયમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, ધ્રાંગધ્રા, થાનગઢ, સાયલા સહિતના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. શનિવારે મોડી રાત્રિ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે 2 ઇંચ, થાનગઢ ખાતે 17 મીમી, ચોટીલા ખાતે 3 મીમી અને ધ્રાંગધ્રા ખાતે 2મીમી વરસાદ નોંધાયો હતો. આ તરફ વરસાદની સાથે અવકાશી આફતને લીધે પણ ક્યાંક નુકશાન જોવા મળ્યું હતું જેમાં થાનગઢ શહેરના રહેણાક મકાન પર વીજળી પડી હતી જ્યારે સરોડી ગામે અરવિંદ કરશનભાઈ રોજાસરાનું વીજળી પડવાથી મોત આ સાથે બે ભેંસોના પણ વીજળી પડવાના લીધે મોત થયા હતા રામપરા ગામે પણ એક ભેંસનું મોત થયાની વાત સામે આવી હતી. વરસાદની સાથે વીજળી અને ભારે પવનના લીધે અનેક સ્થળો પર ઝૂંપડા છાપરા પણ હવામાં ફંગોળાયા હતા.
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં અવકાશી વીજળી પડતા જાનમાલને નુકસાન
થાનગઢ તાલુકાના સરોળી ગામે અરવિંદભાઈ કરશનભાઇ રોજાસરાનું મોત, માનડાસર ગામે 01 ભેંસ, વારમાધર ગામે 02 ભેંસ, રામપરા ગામે 01 ભેંસ, મોરથાળ ગામે 01 ભેંસ તથા 2 વાછરડી, નવાગામ ગામે 01 ગાય, સરોડી ગામે 02 ભેંસ, તરણેતર ગામે 01 ભેંસ, સારસાણા બોર્ડ પાસે – 02 ભેંસ અને થાનગઢ શહેરમાં એક મકાનને નુકશાની સામે આવી છે. જ્યારે સાયલા તાલુકાના કંશાળા ગામે 01 ભેંસ, શાપર ગામે 1 ભેંસ, સીતાગઢ ગામે 1ભેંસ, નડાળા – દેવગઢ ગામે 1 ભેંસ તથા બે વાછરડી, ચોરવીરા ગામે 1 ભેસ, મૂળી તાલુકાના દેવપરા ગામે 01 ગાય તથા દુધઈ ગામે 01 ભેંસ અને ચોટીલા તાલુકાના રાજપરા ગામે 02 ભેંસનું મોત થવાની વિગત મળી છે.