ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અન્ય સાથે મળી બોગસ કાર્ડ બનાવતા, સરકારી પોર્ટલમાં પણ ચેડાં કરાયાં
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં બોગસ આયુષમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. કાર્તિક પટેલના કહેવાથી જ ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળી બોગસ ઙખઉંઅઢ કાર્ડ તૈયાર કરાવતો હતો. લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર 1500 રૂપિયામાં બોગસ ઙખઉંઅઢ કાર્ડ બનાવી દેવાતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડા કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો પણ સામે આવી છે. આ કૌભાંડ બાબતે કુલ 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદમાં સામે આવેલા આ કૌભાંડના અન્ય રાજ્ય સાથે તાર જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂતે નિમેષ ડોડીયા પાસે કાર્ડ બનાવતો હતો. જે કાર્ડના 1500થી 2000 રૂપિયા લાભાર્થી પાસેથી વસૂલવામાં આવતા હતા. જેમાંથી નિમેશને રૂ. 1000 મળતા હતા. નિમેશ ડોડીયા દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવાના અલગ-અલગ પોર્ટલ વાપરતો હતો. જે પોર્ટલોમાં જુદા-જુદા કાર્ડો બનાવી આપવાની જાહેરાતો કરી અલગ અલગ લોકોના સંપર્કમાં આવેલો હતો. તેમજ જુદા-જુદા વોટ્સએપ ગ્રુપ તથા ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયેલ હતો. આ ગ્રુપ મારફતે તે મો. ફઝલ, મો. અસ્ફાક, નરેન્દ્રસિંહ ગોહિલ અને ઈમ્તિયાઝના સંપર્કમાં આવ્યો હતો.
આ તમામ લોકો મળીને આશરે 1200થી 1500 જેટલા આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ કરી વેબસાઈટ પર જઈ ત્યાં સોર્સ કોડ સાથે ચેડા કરી કાર્ડ બનાવ્યા હતા. નિમેશ ડોડિયા, નરેન્દ્રસિંહ ગોહિલને આયુષમાન કાર્ડનું ઊ-ઊંઢઈ એપ્રુવ્ડ કરવા માટે ઊગજઊછ કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નિખીલ પારેખનાઓએ યુઝર આઈડી ગેરકાયદેસર રીતે બનાવી આપેલ હતું. જે પેટે તે માસિક 8 હજારથી 10 હજાર કમાતો હતો. આયુષમાન કાર્ડ બનાવવાનો કોન્ટ્રેક્ટ સરકાર દ્વારા એન્સર કંપનીને આપવામાં આવેલ છે. જેમાં લેવલ-1 સુધીની પ્રક્રિયા તેમના દ્વારા કરવામાં આવતી હોય છે.
કોણ-કોણ આરોપી?ક્ષ કાર્તિક પટેલ, અમદાવાદ
ચિરાગ રાજપૂત, અમદાવાદ
નિમેશ ડોડિયા, અમદાવાદ
મોહમ્મદફઝલ શેખ, અમદાવાદ
મોહમ્મદઅસ્પાક શેખ, અમદાવાદ
નરેન્દ્રસિંહ ગોહિલ, ભાવનગર
ઈમ્તિયાજ, ભાવનગર
રાશિદ, બિહાર
ઈમરાન જાબીર હુસેન કારીગર, સુરત
નિખિલ પારેખ, અમદાવાદ
- Advertisement -
આ નિયમો લાગુ પડશે
કૌભાંડ ડામવા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (જઅઋઞ)ને વધુ સુદૃઢ બનાવવા રાષ્ટ્રીય એન્ટી ફ્રોડ યુનિટની મદદ લેવાશે.
રાજ્ય-જિલ્લા સ્તરે નવી ટીમ બનાવી હોસ્પિટલોની સમયાંતરે વિઝિટ કરી રિપોર્ટ મગાવાશે.
સ્ટેન્ટ અને ઇમ્પલાન્ટ્સની ગુણવત્તાની તપાસણી માટે વ્યવસ્થા ગોઠવાશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી/ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થને એક મહિનામાં ઓછામાં ઓછી બે ઙખઉંઅઢ હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે