રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજન કરાયું
લોકઅદાલતમાં 37,000 પેન્ડીંગ કેસો હાથ પર લેવાયા, 70%થી વધુ કેસનું નિકાલ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલા તેમજ તેના ભાગરુપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા પણ જે. આર શાહ ચેરમેન, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં 12 જુલાઇને શનિવારના રોજ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે.
લોક અદાલતનું ઉદ્ઘાટન જે. આર. શાહ, મુખ્ય જીલ્લા ન્યાયાધીશ તથા ચેરમેન, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યુ હતુ. ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ હેડકવાર્ટરના તમામ ન્યાયાધીશ, બાર એસોસીએશનના પ્રતિનિધિઓ, જુદી જુદી વિમા કંપનીના ઓફીસરો, સિનિયર વકીલો, પી.જી.વી.સી.એલ.ના તેમજ વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના પુર્ણકાલીન સચિવ એચ. વી. જોટાણીયાએ લોક અદાલતથી પક્ષકારોને થતા લાભ તથા કોર્ટનું ભારણ ઘટાડવામાં લોક અદાલત કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગે તથા લોક અદાલતમાં કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામાં આવ્યા છે અને અંદાજે કેટલા કેસોમાં સફળ સમાધાન શક્ય બનશે તે અંગે માહીતી આપી હતી. વધુમાં મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શાહએ લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવી અને જણાવ્યુ કે સમાધાનથી કેસ નિકાલ થાય તો પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે છે તેને ધ્યાનમાં રાખી વધુમાં વધુ કેસો સમાધાનથી નિકાલ થાય તેવી અપેક્ષા છે. લોક અદાલત અગાઉ લગભગ છેલ્લા ચારેક મહીનાથી જુદી જુદી વિમા કંપની, ફાયનાન્સ કંપની, પોલીસ અધિકારીઓ વિગેરે સાથે જુદી જુદી મીટીંગો યોજી લોક અદાલત પહેલા પ્રિ- સીટીંગનું આયોજન કરી આજના દિવસે વધુમાં વધુ કેસો સમાધાન રાહે નિકાલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જુદી જુદી કેટેગરીના 37,000 પેન્ડીંગ કેસો હાથ પર લેવામાં આવશે. જેમાંથી 70% થી પણ વધુની સંખ્યામાં સમાધાનથી કેસોનો નિકાલ થાય તેવી આશા છે.
વારસદારોને 80,00,000 વળતરની રકમ ચૂકવવા સંમતિ આપી સમાધાન કર્યું
15/11/2024ના રોજ મૃતક રસ્તા પર ઊભો હતો ત્યારે એક વાહન આવીને તેને ટક્કર મારી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ. તબીબી સારવાર મળી હોવા છતાં, કમનસીબે તેનું મોત નીપજ્યું અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. આ ઘટનાના પરિણામે, મૃતકના કાનૂની વારસદારોએ અકાળ મૃત્યુ માટે વળતર મેળવવા માટે હાલની અરજી દાખલ કરી છે. અકસ્માત સમયે, ગુનેગાર વાહનનો ગો ડિજિટ ઇન્શ્યોરન્સ કંપની પાસે યોગ્ય રીતે વીમો લેવામાં આવ્યો હતો. મૃતક ફળના વ્યવસાયમાં રોકાયેલા પરિણીત વ્યક્તિ હતો અને નિયમિત આવકવેરા કરદાતા પણ હતો, જેના કારણે આવકનો સ્થિર અને કાયદેસર સ્ત્રોત સ્થાપિત થયો. મૃતકની ઉંમર અને આવકને ધ્યાનમાં રાખીને, અને યોગ્ય વિચાર-વિમર્શ પછી, ગો ડિજિટ ઇન્શ્યોરન્સ કંપનીએ આ મામલાનું સમાધાન કરવા સંમતિ આપી છે અને મૃતકના કાનૂની વારસદારોને 80,00,000 વળતર રકમ ચૂકવવા સંમતિ આપીને સમાધાન કર્યું છે.
- Advertisement -