ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
હોંગકોંગમાં MDHના ત્રણ મસાલા પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે. હોંગકોંગના ફૂડ રેગ્યુલેટરે દાવો કર્યો હતો કે ખઉઇંના આ ઉત્પાદનોમાં જોવા મળતા ઇથિલિન ઓક્સાઈડની માત્રા ખૂબ વધારે છે, જે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે. ખાદ્ય નિયમનકારે વિક્રેતાઓને વેચાણ બંધ કરવા અને ઉત્પાદનોને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની કેન્સર પર સંશોધન માટેની ઈન્ટરનેશનલ એજન્સીએ ઈથિલિન ઓક્સાઈડને ’ગ્રુપ-1 કાર્સિનોજેન’ તરીકે વર્ગીકૃત કર્યું છે.આનો અર્થ એ છે કે તે માણસ માટે કેન્સરનું કારણ બની શકે છે.
- Advertisement -
5 એપ્રિલે તેની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા નિવેદનમાં, હોંગકોંગના ફૂડ રેગ્યુલેટરી ઓથોરિટી સેન્ટર ફોર ફૂડ સેફ્ટી એ જણાવ્યું હતું કે જંતુનાશક ’ઈથિલિન ઓક્સાઈડ’ એમડીએચના ત્રણ મસાલા ઉત્પાદનો – મદ્રાસ કરી પાવડર, સંભાર મસાલા અને કરી મિશ્ર મસાલા પાવડરમાં મળી આવ્યો હતો.