પાકિસ્તાનના કરાંચીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ગુરુવારે એક એપાર્ટમેન્ટમાં ગેસ લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ થતાં ઈમારતનો એક હિસ્સો જ ધરાશાયી થઇ ગયો હતો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 16 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જોકે 14 થી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે.
સ્થાનિક પોલીસના વડાએ આપી માહિતી
- Advertisement -
સ્થાનિક પોલીસના વડા રિઝવાન પટેલે આ મામલે જણાવ્યું કે વિસ્ફોટની ઘટના રાજધાની કરાચીના એક રહણાંક વિસ્તારમાં બની હતી. હજુ પણ કાટમાળમાં કોઈ ફસાયેલો છે કે તે જાણવા માટે બચાવકર્મીઓ કાટમાળ હટાવી રહ્યા છે. પહેલા કુલ 13 લોકોના મોત થયાની પુષ્ટી થઇ હતી પણ રેસ્ક્યૂ દરમિયાન વધુ 3 મૃતદેહો મળતાં કુલ મૃત્યુઆંક 16ને સ્પર્શી ગયો હતો.




