અનુ. જાતિના વિદ્યાર્થીને 4 સવર્ણ સહઅધ્યાયી જ્ઞાતિ વિશે એલફેલ બોલ્યા, કોલેજ બહાર ઢોર માર મારી બેભાન કર્યો
ચારેય વિદ્યાર્થી વિરૂદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજ ફરી વિવાદમાં આવી છે. કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને સાથે અભ્યાસ કરતા સવર્ણ જાતિના 4 વિદ્યાર્થી જ્ઞાતિ વિશે એલફેલ બોલ્યા હતા. બાદમાં કોલેજ બહાર ચારેય વિદ્યાર્થીઓએ ઢોર માર મારી બેભાન કર્યો હતો. આથી વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. વિદ્યાર્થીએ માર મારનાર આ ચારેય વિદ્યાર્થી વિરૂદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વિદ્યાર્થીએ આરોપીઓ તરીકે સુજલ અશોકભાઈ નરોડિયા, નંદનકુમાર ગામી, પૂર્વ અને એક અજાણ્યા વિદ્યાર્થીનું નામ આપ્યું છે. પોલીસે આ ચારેય વિદ્યાર્થી વિરૂદ્ધ ઈંઙઈ કલમ 323, 504, 506-2, 114 તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 અન્વયે 2018ની સુધારાની કલમ 3(2) (5-અ) 3 (1) (છ) (જ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ કોલેજની બહાર બન્યો છે: રજિસ્ટ્રાર
મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટના અંગે વિદ્યાર્થી દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. કોલેજ બહાર વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આજે ચારેય વિદ્યાર્થીઓના વાલીને પણ બોલાવવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ નોંધાતા હવે તમામ વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટી દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. કોલેજની બહાર બનાવ બન્યો છે છતાં યુનિ. દ્વારા ઈઈઝટ ફૂટેજ પણ ચેક કરવામાં આવશે.
જેતપુરની બોસમિયા કોલેજમાં પણ મારવાડી યુનિ. જેવો બનાવ: વિદ્યાર્થીને માર માર્યો
- Advertisement -
BCAમાં ભણતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને યુવતી સાથે માથાકૂટ થતા 4 શખસે ઢોર માર માર્યો, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના જેતપુરમાં બોસમિયા કોલેજમાં ઇઈઅનો અભ્યાસ કરતાં સેલુકા ગામના યુવકને સહપાઠી યુવતી સાથે બારી બંધ કરવા મામલે માથાકૂટ થઈ હતી. જેનો ખાર રાખી ચાર શખસોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઢીકાપાટુનો માર મારતાં સારવારમાં ખસેડાયો છે. બનાવ અંગે ફરિયાદ નોંધાતા જેતપુર ઉઢજઙએ એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી અંકિત દિનેશભાઇ વાળા (ઉં.વ.20)એ આરોપી તરીકે મીરાજ શેખ, કરવ્ય કેશરિયા અને બે અજાણ્યા શખસનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે જેતપુરની બોસમીયા કોલેજમાં ઇઈઅ સેમેસ્ટર-2માં અભ્યાસ કરે છે. ગત 7 ફેબ્રુઆરીના લેક્ચર દરમિયાન બ્રેક પડ્યો ત્યારે ક્લાસરૂમમાં બારી પાસે બેઠેલી માનસી પરમારને બારી બંધ કરવાનું કહ્યું તો તેની પાછળની બેંચમાં બેઠેલ ક્લાસમેટ નસરીને કહ્યું કે, તારા બાપની નોકર છું?
આથી અંકિતે કહ્યું કે, હું તને નહીં માનસીને કહેતો હતો. છતાં નસરીને બોલાચાલી કરી હવે તું જોઇ લેજે કહી ચાલી ગઈ હતી. બાદમાં બીજા દિવસે અંકિત તેના મિત્ર મૌલિક પરમાર સાથે બાઇકમાં કોલેજે ગયો હતો અને ક્લાસરૂમ તરફ જતા હતા ત્યારે ધસી આવેલા ચાર અજાણ્યા શખસો તેમને બાથરૂમમાં લઇ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, કાલે બારી બંધ કરવા બાબતમાં નસરીન સાથે શું માથાકુટ કરી હતી? આવું કહી એક શખસે ફડાકા ઝીંકતા મારા નંબરના ચશ્મા પડી ગયા હતા. બાદમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી આડેધડ ઢીકાપાટુનો માર મારતાં યુવક લોહીલૂહાણ થઈ ગયો હતો અને બચાવવા આવેલા ફરિયાદીના મિત્રને પણ ત્રણેય શખ્સો ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતાં.