ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
સૌરાષ્ટ્રના ડેમોમાં હાલ 20 ટકા જેટલું પાણી છે. સિંચાઇ વિભાગ અંતર્ગત પાંચ જળાશયો એવા છે કે જેમાં નાહિવત પાણી છે. ગોંડલી ડેમ, સંકરોલી ડેમ, કબીર સરોવર ડેમ, છાપરવાડી ડેમ અને ફાળગંદ બેટી ડેમ ખાલીખમ છે. રાજકોટ સિંચાઇ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોના તળીયા દેખાયા છે. સૌરાષ્ટ્રના ડેમોમાં હાલ 20 ટકા જેટલું પાણી છે. સિંચાઇ વિભાગ અંતર્ગત પાંચ જળાશયો એવા છે કે જેમાં નાહિવત પાણી છે.
- Advertisement -
રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોના તળીયા દેખાયા છે. જણાવીએ કે, સૌરાષ્ટ્રના ડેમોમાં હાલ માત્ર 20 ટકા જ પાણી બચ્યું છે. સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 5 જળાશયો એવા છે જેમાં તળિયા ઝાટક છે. ગોંડલી ડેમ,સંકરોલી ડેમ,કબીર સરોવર ડેમ, છાપરવાડી ડેમ અને ફાળગંદ બેટી ડેમ ખાલીખમ છે. જ્યારે અન્ય પાંચ ડેમ એવા છે જેમાં સિંગલ ડિજીટમાં પાણી છે. ત્યારે સિંચાઇ વિભાગના મદદનીશ ઇજનેરે જણાવ્યું કે હાલ સૌરાષ્ટ્રના જળાશયોમાં 20 ટકા જેટલું પાણી છે. આગામી મહિનામાં વરસાદની આગાહીના અનુસાર જળાશયો ભરાશે તેથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને લઇને કોઇ ચિંતાનો વિષય નથી. જો જળાશયોમાં પાણી મર્યાદા કરતા ઓછું થશે તો સરકાર દ્ધારા સૌની યોજના થકી પાણીનું વિતરણ કરશે.