ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઑપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં સિઝન્સ સ્કેવર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલા મનુભાઈ વોરા ઓપન ઍર થિયેટરનું તા.12 ડિસેમ્બરના ગુરુવારના રોજ સાંજે સાડા છ વાગ્યે ઉદ્દઘાટન કરવામાં આવશે.
- Advertisement -
આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્દઘાટક આર્ષ વિદ્યા મંદિર, મુંજકા આશ્રમના સ્વામી ડો. પરમાત્માનંદ સરસ્વતીજીના વરદ હસ્તે મનુભાઈ વોરા ઓપન ઍર થિયેટર ખુલ્લું મુકવામાં આવશે. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ડો. દર્શિતાબહેન શાહ ધારાસભ્ય રાજકોટ, મનીષભાઈ રાડિયા દંડક શાસક પક્ષ રાજકોટ મહાનગરપાલિકા, ડો. કલ્પકભાઈ ત્રિવેદી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ તેમજ કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ મિત્તલભાઈ ખેતાણી ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન અજયભાઈ જોશી, મેનેજીંગ ટ્રસ્ટી અલ્કાબહેન વોરા, વાઇસ ચેરમેન કૌશિક મહેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડિયા અને ઉપપ્રમુખ ઉદ્યોગપતિ સજી મેથ્યુ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડિયા, ઉપપ્રમુખ સજી મેથ્યુ, મંત્રી અજયભાઈ જોશી, સહમંત્રી અજયસિંહ એમ. પરમાર, સહમંત્રી રમેશ સભાયા, ડો. અનામિકભાઈ શાહ, ઉદ્યોગપતિ શૈલેષ પટેલ, જિતેશકુમાર એમ. પંડિત, કૈલેશકુમાર તન્ના,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતભાઈ વાજા, ડો. દર્શન ભટ્ટ, ડી. પી. ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.