જાન્યુઆરીમાં જગત પ્રકાશ નડ્ડાના અનુગામી બની શકે છે, સંજય જોશી પણ સંગઠનના રાષ્ટ્રીય માળખામાં પરત ફરે એવી ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
જેપી નડ્ડાના અનુગામી તરીકે મનોહરલાલ ખટ્ટર ઇઉંઙના નવા અધ્યક્ષ બની શકે છે, જાન્યુઆરીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નડ્ડાનું સ્થાન લઈ શકે છે. સંજય જોશી પણ સંગઠનના રાષ્ટ્રીય માળખામાં પરત ફરે એવી ચર્ચા થઈ રહી છે.
મનોહરલાલ ખટ્ટર ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ)ના સભ્ય અને છજજના ભૂતપૂર્વ પ્રચારક છે. તેમણે હરિયાણા વિધાનસભામાં કરનાલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ 26 ઓક્ટોબર 2014ના રોજ મનોહરલાલ ખટ્ટરે પ્રથમ વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણી પછી ભાજપે જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને ખટ્ટરે બીજી વખત 27 ઓક્ટોબર 2019ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
અડધાથી વધુ રાજ્યોમાં અધ્યક્ષની ચૂંટણી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે મંગળવારે ભાજપના સભ્યપદ અભિયાનના બે તબક્કા પૂર્ણ થયા છે અને હવે સક્રિય સભ્યો બનાવવાનો ત્રીજો તબક્કો બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે, જે 31 ઓક્ટોબર સુધી ચાલશે. સદસ્યતા અભિયાન પૂર્ણ થયા બાદ બૂથ સમિતિઓની રચના કરવામાં આવશે. આ પછી જિલ્લા પ્રમુખો અને પછી પ્રદેશ પ્રમુખોની ચૂંટણી થશે. ભાજપના બંધારણ મુજબ પ્રદેશ પ્રમુખો રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી કરશે, જે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. એવું માનવામાં આવે છે કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાન્યુઆરીમાં થશે. જમ્મુ અને કાશ્ર્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવાં ચાર રાજ્યોની ચૂંટણીમાં સભ્યપદ અભિયાન પછીથી શરૂ થશે, જેના કારણે અહીં સંગઠનાત્મક ચૂંટણી પણ મોડી શરૂ થશે. આ ચાર રાજ્યને બાદ કરતાં ભાજપે 10 કરોડ સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું અને 25 સપ્ટેમ્બર સુધી પ્રથમ તબક્કામાં છ કરોડ સભ્યો બનાવવામાં સફળ રહી હતી.
ખટ્ટરનો જન્મ 5 મે 1954ના રોજ હરિયાણાના રોહતક જિલ્લાના મેહમ તાલુકાના નિંદાના ગામમાં પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. 1947માં ભારતના ભાગલા પછી તેમના પિતા હરબંસ લાલ ખટ્ટર પશ્ર્ચિમ પંજાબના ઝાંગ જિલ્લામાંથી આવ્યા અને અહીં સ્થાયી થયા હતા. ખટ્ટરે મેટ્રિક સુધીનો અભ્યાસ રોહતકની પંડિત નેકી રામ શર્મા સરકારી કોલેજમાંથી કર્યો હતો. આ પછી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરતી વખતે સદર બજાર પાસે એક દુકાન ચલાવતા હતા.
- Advertisement -
આ સમય દરમિયાન ખટ્ટર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ)માં જોડાયા અને ત્રણ વર્ષ પછી પૂર્ણ-સમયના પ્રચારક બન્યા. પ્રચારક તરીકે તેઓ આજીવન અવિવાહિત છે. 2000-2014 દરમિયાન ખટ્ટર હરિયાણામાં ભાજપના સંગઠન મહાસચિવ હતા. તેઓ 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપની હરિયાણા ચૂંટણીપ્રચાર સમિતિના અધ્યક્ષ હતા. આ પછી તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા. 2014ની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ખટ્ટરે ભાજપની ટિકિટ પર કરનાલ મતવિસ્તારમાંથી ચૂંટણીમાં ભારે માર્જિનથી જીત મેળવી હતી. હરિયાણામાં ભાજપને પહેલીવાર બહુમતી મળી અને ખટ્ટર હરિયાણાના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બન્યા. 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણી પછી ખટ્ટરે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.