શું એચબીઓની હિટ સીરીઝ ‘ધી લાસ્ટ ઓફ અસ’ રિયલ બનશે?
કોર્ડિસેપ્સ વાયરસ સંક્રમિત થવાથી મારસ ઝોમ્બી જેવા રાક્ષસ બની જાય છે, જેના કરડવાથી બીજા લોકો સંક્રમિત થઈ રાક્ષસ બની જાય છે: વૈજ્ઞાનિક આર્ટુરો કેસાડેવલનો સનસનીખેજ દાવો
- Advertisement -
વિશ્વ કેવી રીતે ખત્મ થશે? સામાન્ય લોકોથી લઇને વૈજ્ઞાનિકો સુધી, દરેક વ્યક્તિ આ વિષયને ગંભીરતાથી લે છે. આવી સ્થિતિમાં અલગ અલગ અંદાજ પણ લગાવવામાં આવી રહ્યા છે. કેટલાંક લોકોનું માનવું છે કે, પરમાણુ યુદ્ધથીખતમ થશે. તેનું કારણ છે, તો કેટલાંક કહે છે કે, કોવિડ-19 જેવા વાયરસથી ખતમ થશે.
જો કે, જાણીતા વૈજ્ઞાનિક અને મોલિક્યૂલર માઇક્રોબાયોલોજી, ઇમ્યૂનોલોજી અને ઇન્ફેક્શન ડિઝિઝના પ્રોફેસર આર્ટુરો કૈસાડેવલે એ આ વિશે અલગ દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે, ફંગસ એટલી હદે નુકસાન પહોંચાડી શકે છે કે તેનાથી માનવ જાતિનો અંત આવી શકે છે.
તેઓએ કહ્યું કે, ઝડપથી એ ચીજથી વિશ્વ નષ્ટ થઇ શકે છે કે જેઓએ એચબીઓની હીટ સીરિઝ ધ લાસ્ટ ઓફ અસમાં લોકોને સંક્રમિત થતા જોયા છે. તેમાં પેટ્રો પાસ્કલ અને બેલા રામસે મુખ્ય ભૂમિકામાં છે. આ એક સર્વનાશ બાદ વિશ્વ પર આધારિત ટીવી સીરિઝ છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, જો કોઇ ફંગસનો મોટો હુમલો થઇ શકે છે અને મોટાંભાગની સભ્યતાઓ અંત થઇ જશે તો શું થશે?
- Advertisement -
આ ફૂગના વાયરસને કોર્ડિસેપ્સ કહેવામાં આવે છે. તેમાં સંક્રમિત થતા લોકો ઝોમ્બી જેવા રાક્ષસ બની જાય છે. તેના કરડવાથી અથવા નાના બીજાણું વ્યક્તિઓને સંક્રમિત કરી તેને રાક્ષસ બનાવી દે છે.
અમેરિકાના બાલ્ટીમોરમાં પ્રતિષ્ઠિત જોન્સ હોપક્નિસ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં કામ કરતા 67 વર્ષીય પ્રોફેસર કેસાડેવલે કહ્યું કે, આ ફૂલ વાયરસ માનવ જાતિ માટે વાસ્તવિક જોખમ છે. તેઓએ પોતાના અનેક નિષ્કર્ષોને એક પુસ્તકમાં જાહેર કર્યુ છે, જે મે 2024માં પ્રકાશિત થઇ હતી. જેનું નામ વ્હોટ ઇફ ફંગી વિન? છે. જેના પર એક ફૂગના કારણે મહામારી થવાની સંભાવના પર પ્રકાશ પાડ્યો છે.
ઇન્ટરવ્યુમાં તેઓએ જણાવ્યું કે, હજુ સુધી આ ફૂગની ઓળખ નથી થઇ શકી, જે લોકોને લાશમાં બદલી શકે. આવનારા સમયમાં તે વધુ જોખમી ફૂગ જનિત સંક્રમણ સામે આવી શકે છે. જો કે, એ વાતના પુરતા પ્રમાણ નથી મળ્યા કે કઇ ખાસ ફૂગમાં નવી બીમારીઓ ફેલાવવાની ક્ષમતા છે. જે અગાઉ ક્યારેય નથી જોવામાં નથી તેનાથી અનેક લોકો પ્રભાવિત થઇ શકે છે.
પ્રોફેસરના અનુસાર, જળવાયુ પરિવર્તનના કારણે ફૂગ દ્વારા મનુષ્યમાં નવી બીમારીઓ ફેલાવાની સંભાવના વધી જાય છે. આવું થવા માટે ફૂગ અથવા ફૂગ જીવોને બસ ગરમ તાપમાનમાં અનુકૂળ હોવાની જરૂર છે. તેઓએ એ વાત પર વધુ પ્રકાશ પાડ્યો છે કે, મોટાંભાગની ફૂગ શરીરના આંતરિક તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ પર જીવિત નથી રહી શકતા. પરંતુ કેટલીક ફૂગ પર કાબુ મેળવવા માટે શરીરને ઢાળી રહ્યા છે.
યેલ સ્કૂલ ઓફ મેડિસિન અનુસાર, કોર્ડિસેપ્સ ફંગસ ફૂગની એક પ્રજાતિમાંથી છે જેમાં 400થી વધુ પ્રજાતિઓ સામેલ છે. તેમાં ફૂગ પોતાના અનોખા જીવનચક્ર માટે ઓળખાય છે. જેમાં કીટકો અને અન્ય ઓર્થોપોડ્સ પર પરજીવી બનવાનું સામેલ છે. સૌથી પ્રસિદ્ધ પ્રજાતિઓ કોર્ડિસેપ્સ સાઇનેન્સિસ અને કોર્ડિસેપ્સ મિલિટેરિસ વગેરે છે.