વિધાનસભા-69ની ટિકિટ મેળવવા માટે વ્યસ્ત કોર્પોરેટર દર્શિતા શાહ અને જયમીન ઠાકર મુશ્કેલી સમયે અદૃશ્ય!
વોર્ડ નં.2ના જાગૃત કોર્પોરેટરની ઉમદા કામગીરી
- Advertisement -
ગાયત્રીધામ વિસ્તારમાં પાણી ભરાતા તાત્કાલિક મનપાની ટીમને બોલાવી પાણીનો નિકાલ કરાયો
રાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હાલ ધોધમાર વરસાદને પગલે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આજે સવારથી સતત પડી રહેલા વરસાદથી ગાયત્રીધામ વિસ્તારમાં તમામ ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે, તેની જાણ વોર્ડ નં-2ના કોર્પોરેટર મનીષ રાડિયાને કરતા તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ કરી જેસીબી મંગાવીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. મનીષ રાડિયાની સાથે મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયોટા, અજય સિંહ જાડેજા, પૃથ્વીભાઈ વાળા, જયકિશન ઝાલા, યુવા પ્રમુખ જયરાજસિંહ જાડેજા, યુવા મહામંત્રી ભાગવત શર્મા, જય દવે, ઈલુભાઈ કાસવાણી, ઉદય સુમૈયા, નિશ્ચલ જોશી સાથે વોર્ડ નં-2ના ભાજપના કાર્યકર્તા અને આગેવાનો હાજર હતા. જેમણે પણ વરસાદમાં ફસાયેલા લોકોને મદદ કરી હતી.