-ગૃહ મંત્રાલયના આદેશ બાદ ACPએ લખ્યો પત્ર
મણિપુર હિંસા કેસમાં CBI તપાસમાં દિલ્હી પોલીસના ચાર અધિકારીઓ પણ મદદ કરશે. આ અધિકારીઓમાં દિલ્હી પોલીસના ત્રણ આઈપીએસ અધિકારીઓ અને એક ઈન્સ્પેક્ટર સીબીઆઈ સાથે જોડવામાં આવ્યા છે. આ મામલે ગૃહ મંત્રાલયના આદેશ બાદ એડિશનલ પોલીસ કમિશનર પીકે મિશ્રાએ ગયા બુધવારે સીબીઆઈને પત્ર લખ્યો છે.
- Advertisement -
13 સપ્ટેમ્બરે લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે 2010 બેચના આઈપીએસ ઓફિસર ઈશા પાંડે, શ્વેતા ચૌહાણ, 2011 બેચના આઈપીએસ ઓફિસર હરેન્દ્ર કુમાર સિંહ અને 1996 બેચના ઈન્સ્પેક્ટર પ્રવીણ કુમારને સીબીઆઈ સાથે જોડવામાં આવ્યા છે.
પસંદગી આ ખાસ કારણોસર કરાઈ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સીબીઆઈએ મણિપુર કેસમાં 11 એફઆઈઆર નોંધી છે, જેમાં બળાત્કાર બાદ મહિલાને નગ્ન પરેડ કરવાનો કેસ પણ સામેલ છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અધિકારીઓની પસંદગી ખાસ કારણોસર કરવામાં આવી છે. હાલમાં ઈશા પાંડે ડીસીપી ટ્રાફિક છે, શ્વેતા ચૌહાણ ડીસીપી હેડક્વાર્ટર છે અને હરેન્દ્ર સિંહ ડીસીપી આઉટર ડિસ્ટ્રિક્ટ છે.