ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત થયા છે. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં નમામી ગંગે પ્રોજેક્ટની સાઈટ પર વીજ કરંટ લાગવાથી 10 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. હાલ હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો છે. ચમોલી દુર્ઘટના પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.
- Advertisement -
હોસ્પિટલમાં ડોક્ટરોએ કર્યા મૃત જાહેર
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નમામી ગંગે પ્રોજેક્ટ સાઇટ પર કામદારો કામ કરી રહ્યા હતા આ દરમિયાન ટ્રાન્સફોર્મર ફાટ્યા બાદ કરંટ લાગતા 10 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. જે બાદ તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા હતા.
Uttarakhand | 10 people died and several injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval
— ANI (@ANI) July 19, 2023
- Advertisement -
ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે
ચમોલીના એસપી પરમેન્દ્ર ડોભાલે જણાવ્યું કે ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે ટ્રાન્સફોર્મર ફાટવાથી 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલની બહાર લોકોની ભીડ જામી છે. આ ઉપરાંત હોસ્પિટલ અને ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો છે.
ઉર્જા નિગમ પર બેદરકારીનો આરોપ
અન્ય કામદારો ઉર્જા નિગમ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ નિગમી સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તો દુર્ઘટનાની જાણ થતાં જ પ્રોજેક્ટના કામને અટકાવી દેવામાં આવ્યું છે. હાલ બચાવ અને રાહત માટે ટીમો ઘટના સ્થળે દોડી આવી છે.