ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક વિમાનના ટાયરમાં આગ લાગી હોવાના સમાચાર છે. રવિવારે સવારે લખનૌ અમૌસી એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી, ટેક્સી-વે પર જઈ રહેલા સાઉદી અરેબિયા એરલાઇન્સના વિમાનના ડાબા ટાયરમાંથી તણખા અને ગાઢ ધુમાડો નીકળવા લાગ્યો. આ વિમાન હજ યાત્રાળુઓને લઈને જેદ્દાહથી પરત ફર્યું હતું. પાયલટે તણખાની જાણ થતાં જ એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી. આ પછી, ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ફીણ અને પાણી નાખીને પરિસ્થિતિને કાબૂમાં લીધી. આ પછી, બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા.
જેદ્દાહથી આવી રહેલી સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં મોટી દુર્ઘટના બનતા ટળી છે. લખનઉના ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે આ ફ્લાઈટના પૈડાંમાંથી ધુમાડા અને સ્પાર્ક થયા હતાં. જો કે, ગ્રાઉન્ડ સ્ટાફે તાત્કાલિક ધોરણે એરપોર્ટ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઈટિંગ ટીમને જાણ કરતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો.
- Advertisement -
એરપોર્ટ ઓથોરિટીએ સુનિશ્ચિત કર્યું છે કે, તમામ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે. મોટી દુર્ઘટના બનતા ટળી છે. અન્ય ફ્લાઈટનું સંચાલન ચાલુ છે. આ વિમાન હજયાત્રીઓને લઈને આવી રહ્યું હતું. જાણકારી અનુસાર, આ વિમાન 250 હજયાત્રીઓને લઈને રવિવારે સવારે લખનઉ એરપોર્ટ પર પહોંચ્યું હતું. તે સમયે લેન્ડિંગ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં ખામીના કારણે ધુમાડો નીકળ્યો હતો. વિમાનના પૈડાંમાંથી આગના તણખલા અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. પાયલટે પણ સમય સૂચકતા વાપરી વિમાન અટકાવી એર ટ્રાફિક કંટ્રોલને આ અંગે જાણ કરી હતી.
ધુમાડા પાછળનું કારણ
સુત્રો અનુસાર, લેન્ડિંગ ગિયરમાં હાઈડ્રોલિક ઓઈલ લિકેજ થતાં પૈડાંમાંથી ધુમાડો નીકળ્યો હતો.