By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    15 minutes ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    33 minutes ago
    આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ: ધૂમ્રપાન ગર્ભાશયનું કેન્સર, ફેફસાના રોગ અને હૃદય રોગને આમંત્રણ આપે છે
    1 hour ago
    અમેરિકા: ડિંગુચા ગામના પરિવારને મોતને ઘાટ ઉતારનાર ‘ડર્ટી હેરી’ને 10 વર્ષની સજા
    20 hours ago
    ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામ મંદિરમાં રામ દરબાર ઉપરાંત 6 મંદિરોમાં ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પાંચ જૂને થશે
    56 minutes ago
    આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ: ધૂમ્રપાન ગર્ભાશયનું કેન્સર, ફેફસાના રોગ અને હૃદય રોગને આમંત્રણ આપે છે
    1 hour ago
    રાહુલ ગાંધી PM હોત તો POK પાછું લઈ લીધું હોત: તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો
    19 hours ago
    પહેલગામના આતંકીઓને આકરી સજા મળશે, સેનાએ તેમના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા: બિહારમાં PM મોદીનું નિવેદન
    19 hours ago
    વિદેશી રોકાણકારોની પહેલી પસંદ મહારાષ્ટ્ર : ગુજરાત 3જા ક્રમે
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    2 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    2 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    3 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    4 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    23 hours ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    3 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    4 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    4 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 day ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    5 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાશિવરાત્રી પુર્વે મહાકુંભ માનવમહેરામણ: તંત્ર એલર્ટ બન્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મહાશિવરાત્રી પુર્વે મહાકુંભ માનવમહેરામણ: તંત્ર એલર્ટ બન્યુ
રાષ્ટ્રીય

મહાશિવરાત્રી પુર્વે મહાકુંભ માનવમહેરામણ: તંત્ર એલર્ટ બન્યુ

Khaskhabar Editor
Last updated: 2025/02/25 at 5:52 PM
Khaskhabar Editor 3 months ago
Share
6 Min Read
SHARE

મહાકુંભમાં આવતીકાલે અંતિમ અમૃત સ્નાન પુર્વે માનવમહેરામણ: વારાણસી પણ ચિકકાર : ઉતરપ્રદેશના તમામ ધાર્મિક જીલ્લામાં એલર્ટના આદેશ

પ્રયાગરાજના મહાકુંભનો આવતીકાલે મહાશિવરાત્રીનો દિવસ છેલ્લો હતો અને 13મી જાન્યુઆરીથી ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાનુ સમાપન થશે તે પુર્વે મોટીમાત્રામાં ભાવિકો ઉમટવા લાગતા તંત્ર એલર્ટ બન્યુ છે.

- Advertisement -

મહાશિવરાત્રી પુર્વે મહાકુંભ ઉપરાંત વારાણસી તથા અયોધ્યામાં પણ ભાવિકોનો મહાસાગર છલકાયો છે જેને પગલે વ્યવસ્થા સંભાળવા વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભીડ નિયંત્રીત રહે તે માટે સુરક્ષા સહિતની ગોઠવણો કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા અયોધ્યા, વારાણસી, મિર્જાપુર સહિત તમામ ધાર્મિક જીલ્લામાં તંત્રને એલર્ટ રહેવાના આદેશ કરાયા છે. મહાકુંભમાં અત્યાર સુધીમાં એટલે કે સોમવાર સુધીમાં સ્નાન કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો 63 કરોડે પહોંચી ગયો હતો. સ્નાન કરનારાઓમાં ફિલ્મી સ્ટાર્સ પણ સામેલ થઈ ચૂકયા છે.

સોમવારે અક્ષયકુમાર, કેટરીના કેફ, પ્રીતિ ઝીંટાએ પણ સંગમમાં ડૂબકી લગાવી હતી. જયારે અનેક રાજનીતિક હસ્તીઓ પણ મહાકુંભમાં પહોંચી હતી. આવતીકાલે મહાશિવરાત્રીનું પર્વ છે. મહાકુંભમાં સ્નાન બાદ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કાશી તરફ જઈ રહ્યા છે. આ સ્થિતિમાં ત્યાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા વધારવામાં આવી છે. સાથે સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં મહા શિવરાત્રીના અવસરે શ્રદ્ધાળુઓની ભીડ જોતા 25થી27 ફેબ્રુઆરી સુધી વીઆઈપી દર્શન પર રોક લગાવી દેવામાં આવી છે.

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યપાલક અધિકારી વિશ્વ ભૂષણ મિશ્રાએ જણાવ્યું હતું કે મહા શિવરાત્રીએ મોટી સંખ્યામાં વિભિન્ન અખાડાના સાધુ, સંતો અને નાગા સાધુ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજન કરશે. આ અવસરે નાગા અખાડા તરફથી શોભાયાત્રા કાઢીને દર્શન પૂજન કરવામાં આવશે. જેથી મંદિરના ગેટ નં.4 થી સામાન્ય લોકોનો પ્રવેશ બંધ થશે. બધા જિલ્લા માટે એલર્ટ જાહેર: મહાકુંભ અને મહાશિવરાત્રીને લઈને ડીજીપીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો બધા રાજયમાંથી આવી રહ્યા છે, જે પ્રયાગરાજની સાથે સાથે અન્ય ધાર્મિક જિલ્લા જેમકે અયોધ્યા, વારાણસી, મિર્ઝાપુરમાં પણ દર્શન માટે જઈ રહ્યા છે, એટલે બધા જિલ્લામાં ખાસ સતર્કતા રાખવામાં આવે.

- Advertisement -

મહાકુંભમાં ઝોનલ સ્કીમ લાગુ: શ્રદ્ધાળુઓને માર્ગમાં આવતા ઘાટ પર જ સ્નાનની છુટ્ટ અપાશે
આવતીકાલે મહાશિવરાત્રીએ મહાકુંભમાં અંતિમ સ્નાન માટે ફરી એક વખત માનવ સમંદર સર્જાવાની ગણતરીથી સરકાર-વહીવટીતંત્ર વધુ સતર્ક બન્યુ છે. અંતિમ મુખ્ય સ્નાન માટે માર્ગદર્શિકા જારી કરી છે જે અંતર્ગત જે માર્ગોથી શ્રદ્ધાળુઓ આવે તેની નજીકના જ ઘાટ પર તેઓને સ્નાન કરવા- ડુબકી લગાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ માટે ઝોનલ સ્કીમ લાગુ કરવામાં આવી છે અને આજથી જ તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર મહાકુંભ ક્ષેત્ર નો-વ્હીકલ ઝોન તરીકે યથાવત રહેશે. અંતિમ સ્નાનમાં એક કરોડ ભાવિકો ઉમટે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.

‘ગીધોને લાશો, ડુક્કરને ગંદકી… મહાકુંભમાં જેણે જે શોધ્યું તેને તે મળ્યું’: મુખ્યમંત્રી યોગી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે મહાકુંભ વિરુદ્ધ બોલનારા વિરુદ્ધ કહ્યું કે, ‘મહાકુંભમાં જેણે જે શોધ્યું, તેને તે મળ્યું. ગીધોને લાશો, ડુક્કરને ગંદકી મળી… જ્યારે સંવેદનશીલ લોકોને સંબંધોની સુંદર તસવીર મળી, સજ્જનોને સજ્જતા મળી, વેપારીઓને રોજગાર મળ્યો, શ્રદ્ધાળુઓને સ્વચ્છ વ્યવસ્થા મળી, જેની જેવી નિયત હતી, દ્રષ્ટિ હતી, તેને તેવું મળ્યું.’
મુખ્યમંત્રી યોગીએ વિપક્ષો પર આક્રમક અંદાજમાં પ્રહાર કરતા કહ્યું કે, ‘તમે મહાકુંભ અંગે જે નિવેદનો કર્યા, એક વિશેષ જાતિના વ્યક્તિને મહાકુંભમાં જતો અટકાવ્યો, પરંતુ અમે કહ્યું હતું કે, જે લોકો સદભાવના સાથે આવે છે, તેઓ મહાકુંભમાં જઈ શકે છે, પરંતુ જો કોઈ દુર્ભાવનાથી આવશે, તો તે મુશ્ર્કેલીમાં પડી જશે. અમે કોઈની પણ ધાર્મિક ભાવના સાથે રમત રમી નથી, સમાજવાદી પાર્ટીની જેમ, તેમના મુખ્યમંત્રી પાસે કુંભની દેખરેખ અને વ્યવસ્થા જોવાનો સમય ન હતો અને તેથી જ તેઓએ બિન સનાતનને કુંભમાં પ્રભારી બનાવ્યો.’
યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, ‘વિપક્ષના નેતાને વાંધો હતો કે, ભાજપે લોક કલ્યાણ સંકલ્પ પત્ર અને રાજ્યપાલના અભિભાષણમાં મહાકુંભનું વૈશ્ર્વિસ્તરે આયોજન કરવા માટેનો કેમ ઉલ્લેખ કર્યો? જો મહાકુંભમાં વિશ્ર્વસ્તરની સુવિધા ન હોત તો, અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ન આવ્યા હોત. હું દેશના દરેક મહાપુરુષોનું સન્માન કરું છું, જેમણે ભારતમાં જન્મ લીધો છે.’

આજે સાંજથી પ્રયાગરાજમાં વાહનોનેનો એન્ટ્રી

મહાકુંભ: મહાશિવરાત્રી માટે નવો પ્લાન અને અપીલ
25 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યાથી મેળા વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ કમિશનરેટ એટલે કે શહેરને સાંજે 6 વાગ્યાથી નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, સાંજથી કોઈ વાહન શહેરમાં પ્રવેશી શકશે નહીં.
બધા ભક્તોએ તેમના પ્રવેશદ્વારની નજીકના ઘાટ પર સ્નાન કરવું જોઈએ. દક્ષિણ ઝુસીથી આવતા ભક્તોએ સંગમ દ્વાર ઐરાવત ઘાટ પર સ્નાન કરવું જોઈએ. ઉત્તર ઝુસીથી આવતા ભક્તોએ સંગમ હરિશ્ર્ચંદ્ર ઘાટ અને સંગમ ઓલ્ડ જીટી ઘાટ પર સ્નાન કરવું જોઈએ.
પરેડમાંથી આવતા ભક્તોએ સંગમ દ્વાર ભારદ્વાજ ઘાટ, સંગમ દ્વાર નાગવાસુકી ઘાટ, સંગમ દ્વાર મોરી ઘાટ, સંગમ દ્વાર કાલી ઘાટ, સંગમ દ્વાર રામ ઘાટ અને સંગમ દ્વાર હનુમાન ઘાટ પર સ્નાન કરવું જોઈએ.
અરૈલ વિસ્તારમાંથી આવતા ભક્તોએ સંગમ દ્વાર અરૈલ ઘાટ પર સ્નાન કરવું જોઈએ.
દૂધ, શાકભાજી, દવાઓ, પેટ્રોલ/ડીઝલ, એમ્બ્યુલન્સ વાહનો અને સરકારી કર્મચારીઓ (ડોક્ટરો, પોલીસ અને વહીવટીતંત્ર વગેરે) જેવી કોઈપણ આવશ્ર્યક ચીજવસ્તુઓની અવરજવર ક્યાંય પણ બંધ કરવામાં આવશે નહીં.
26 ફેબ્રુઆરીએ મહાકુંભ પર્વની સાથે મહાશિવરાત્રીનો ઉત્સવ પણ છે. ભક્તોને નજીકના ઘાટ પર સ્નાન કરવા, શિવ મંદિરમાં દર્શન કરવા અને પછી શક્ય તેટલી વહેલી તકે પોતાના ઘરે પાછા ફરવા વિનંતી છે.
ભીડ અને ટ્રાફિકને લઇને બધા પોન્ટૂન પુલ ભક્તોની ભીડના દબાણ મુજબ સંચાલન કરવામાં આવશે. બધા ઘાટોને સંગમ તરીકે સમાન માન્યતા છે.

You Might Also Like

રામ મંદિરમાં રામ દરબાર ઉપરાંત 6 મંદિરોમાં ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પાંચ જૂને થશે

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ: ધૂમ્રપાન ગર્ભાશયનું કેન્સર, ફેફસાના રોગ અને હૃદય રોગને આમંત્રણ આપે છે

રાહુલ ગાંધી PM હોત તો POK પાછું લઈ લીધું હોત: તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો

પહેલગામના આતંકીઓને આકરી સજા મળશે, સેનાએ તેમના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા: બિહારમાં PM મોદીનું નિવેદન

વિદેશી રોકાણકારોની પહેલી પસંદ મહારાષ્ટ્ર : ગુજરાત 3જા ક્રમે

TAGGED: Mahakumbh 2025, Mahashivaratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોલકતામાં વહેલી સવારે 5.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા
Next Article દિલ્હી વિધાનસભામાં CAGના બે રિપોર્ટ રજૂ: બે હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
રામ મંદિરમાં રામ દરબાર ઉપરાંત 6 મંદિરોમાં ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પાંચ જૂને થશે
આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ: ધૂમ્રપાન ગર્ભાશયનું કેન્સર, ફેફસાના રોગ અને હૃદય રોગને આમંત્રણ આપે છે
જૂનાગઢ સુખનાથ ચોક પાસે આવેલાં પૌરાણીક ઝુલેલાલ મંંદિરની જગ્યાનો ઓટલો તોડી નુક્સાન
PGVCLની કામગીરી સામે લોકોમાં ભારે રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રામ મંદિરમાં રામ દરબાર ઉપરાંત 6 મંદિરોમાં ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પાંચ જૂને થશે

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ: ધૂમ્રપાન ગર્ભાશયનું કેન્સર, ફેફસાના રોગ અને હૃદય રોગને આમંત્રણ આપે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

રાહુલ ગાંધી PM હોત તો POK પાછું લઈ લીધું હોત: તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?