ઉપલા દાતારની જગ્યમાં જ્યાં નથી મંદિર કે મસ્જિદ
અમૂલ્ય આભૂષણની ચંદન વિધિ કરાશે: મહંત ભીમ બાપુ દ્વારા મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં આગામી 25 સપ્ટેમ્બરથી દાતાર બાપુનું મહાપર્વ ઉર્ષના મેળાનો રંગે ચંગે પ્રારંભ થશે તા.25 સપ્ટેમ્બર અને સોમવારના રોજ ચંદન વિધિ દાતાર બાપુ ના અમૂલ્ય આભૂષણોને ગુફા માથીબહાર કાઢી અને પૂજા વિધિ અને દર્શન કરાવવામાં આવશે આ ઉર્ષનો મેળો જગ્યાના મહંત શ્રીભીમ બાપુ દ્વારા મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવામાં આવશે. જ્યાં નથી મંદિર કે મસ્જિદ તેવી દાતારની ટેકરી ઉપર કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આગામી તા. 25 સપ્ટેમ્બરથી ચાર દિવસ સુધી દાતાર બાપુના મહાપર્વ ઉર્સના મેળાનો રંગેચંગે પ્રારંભ કરવામાં આવશે ત્યારે જગ્યાના મહંત પૂજ્ય ભીમ બાપુની નિશ્રામાં આ મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવા સેવકો દ્વારાતૈયારીઓ થઈ રહી છે વર્ષમાં એક વખત મહાપર્વ ઉર્સ ઉજવવામાં આવે છે જેમાં આગામી તા. 25 સપ્ટેમ્બર સોમવારના રોજ રાત્રિના દાતાર બાપુની ગુફામાંથી અમૂલ્ય આભૂષણો વર્ષમાં એક વખત જ બહાર આવે છે જેની પૂજા વિધિ અને પધારેલા ભાવિકોને દર્શન માટે રખાય છે અને વહેલી સવારેએ આભૂષણો પરત ગુફાની અંદર પધરાવી દેવામાં આવે છે.
આભૂષણઓમાં જે દાતાર બાપુ ધારણ કરતા હતા તે કાનના કુંડળ કાખઘોડી પોખરાજ ઈત્યાદી 18 જેટલી વસ્તુઓ નો સમાવેશ થાય છેત્યારબાદ ઉર્સના બીજો દિવસ આરામનો દિવસ રહે છે અને બુધવારના રોજ રાત્રિના મેંહદી યાને કે દીપમાળા નો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં દાતાર બાપુ ની ગુફા અને દાતારની જગ્યામાં દીપ પ્રગટાવીને દિવાળી જેવો માહોલ સર્જાય છે ત્યાર પછીના દિવસોમાં મહાપર્વ ઉર્સ માં લોકો દાતાર બાપુના દર્શન અને દીદાર માટે ઉમટી પડે છે અને ચાર દિવસના આ મેળામાં દાતાર બાપુના દર્શન કરવા ભાવિકો મોટી સંખ્યામાં દાતારની ટેકરીના ત્રણ હજાર પગથિયાં યડી ઉપર પધારે છે. દાતારબાપુના આ મહાપર્વ ઉર્સમાં પધારેલા તમામ ભાવિકો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની સુંદર મજાની વ્યવસ્થા જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા કરવામાં આવે છે. આટલી ઉંચાઈ ઉપર આવેલી આ ધાર્મિક જગ્યામાં છેલ્લા હજારો વર્ષથી અવિરત પણે ચાલી રહેલું અન્નક્ષેત્ર અત્યારે પણ કાયમ છે આટલી ઉંચાઈ ઉપર પણ દાતારની જગ્યામાં સુંદર મજાની ગૌશાળામાં ગાયો વિચરણ કરી રહી છે દાતાર બાપુ ના દર્શને પધારતા ભાવિકોમાં કોઈ નાત જાતના ભેદ વગર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મ દરેક કોમના લોકો પૂરા ભાવ સાથે દાતાર બાપુના દર્શન કરવા પધારે છે અને જગ્યા ખાતે દરેક ભાવિકનું સન્માન જળવાઈ રહે અને પોતાની ધાર્મિકતા આધ્યાત્મિકતાનો આદરભાવ જળવાઈ રહે તેવી કાળજી લેવાય છે બિનસાંપ્રદાયિક અને કોમી એકતાની મીસાલસમી આ જગ્યામાં નાની અનામી સેલિબ્રિટીમાં ભારત વર્ષના વરિષ્ઠ સંતોમાં પુજય મોરારીબાપુ અને પુજય રમેશભાઈ ઓઝા થી લઈ અનેકસંતોએ આ જગ્યાએ પધારી પોતાનો રાજીપો વ્યક્ત કરેલ છે પૂજ્ય દાતાર બાપુની એક વાત એવી છે જિનહે દાતાર બાપુ બુલાતે હૈ વહી દાતાર આતે હૈ.
ઉપલા દાતાર જગ્યાના મહંતની ઉજળી પરંપરા
દાતારની જગ્યાના મહંતોની ઉજળી પરંપરા એ રહી છે કે દાતારની જગ્યાના મહંત કોઈ દિવસ નીચે યાને જુનાગઢ આવતા નથી અને જગ્યા છોડી ક્યારેય પણ તેઓ ક્યાંય વિચરણ કરતા નથી એ એક જગ્યાની ઉજળી પરંપરા રહી છે જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલબાપુ અને વિઠ્ઠલબાપુએ પણ પોતાનું આજીવન દાતાર બાપુની જગ્યામાં દિન દુખિયાની સેવા કરવામાં જીવનખપાવી દીધું બંને મહંતોની સમાધિઓ પણ અહીં આવેલી છે જેના લોકો દર્શન કરે છે ત્યાંરે હાલના મહંત પૂજ્ય ભીમબાપુ પણ તેઓ કદી પણ જગ્યા છોડી અને ક્યાંય ગયા નથી એજ પરંપરાને અત્યારે હાલના મહંત પૂજ્ય ભીમ બાપુ પણ છેલ્લા 30 વર્ષથી જગ્યા છોડી અને કદી પણ નીચે આવ્યા નથી.