ગુજરાતથી મહાકુંભમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ગયા છે. ત્યારે ગત રાત્રે મહાકુંભમાં થયેલ ભાગદોડની સ્થિતિને લઈ ગુજરાત સરકાર દ્વારા ઉત્તર પ્રદેશનાં વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી શ્રદ્ધાળુઓની વિગત મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.
સ્થિતિ સામાન્ય થયા બાદ વિગતો આવશે સામે
- Advertisement -
ગુજરાતનાં યાત્રિકોની વિગતો મેળવવા માટે રાહત કમિશ્નર દ્વારા યુપીનાં વહીવટી તંત્ર સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તેઓએ જણાવ્યું હતું કે, સ્થિતિ સામાન્ય થયા બાદ વિગતો સામે આવશે. તેમજ વોલ્વો બસમાં ગયેલા યાત્રિકો સુરક્ષિત હોવાની વિગતો મળી રહી છે. તેમજ ખાનગી પ્રવાસ અને અન્ય રીતે ગયેલા પ્રવાસીઓની વિગતો મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. તેમજ કુંભમાં થયેલી નાસભાગમાં ગુજરાતનાં યાત્રિકો સુરક્ષિત હોવાના સમાચાર મળી રહ્યા છે. તેમજ ગુજરાતથી કુંભમાં ગયેલા યાત્રિકોનાં પરિવારજનો માટે રાહતનાં સમાચાર છે.
બુકીંગ ફૂલ
અમદાવાદ ખાતેથી દરરોજ એક એસી વોલ્વો બસ મહાકુંભમાં જશે
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે રાજ્ય સરકારનો સકારાત્મક નિર્ણય કર્યો હતો. ગુજરાતથી દરરોજ એક AC વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે. જેમાં 3 રાત્રિ / 4 દિવસનું પેકેજ, પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. 8,100 છે. અમદાવાદથી પ્રયાગરાજ બસનું બુકિંગ શરૂ થયા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા ટિકિટનું બુકિંગ નોંધાયું છે. ત્યારે તારીખ 27 જાન્યુઆરીથી 7 વાગ્યે ગીતા મંદિર એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એક એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે.
અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભની ટિકીટો બુક
અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભની ટિકીટો બુકિંગ થઇ રહી છે. જેમાં 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા ટિકીટોની બુંકિગ થઈ ચૂકી છે. નોંધનિય છે કે, શહેરીજનો બસ મારફતે પ્રયાગરાજ મહાકુંભમાં જઇ શકશે. પહેલી બસ ગાંધીનગર સર્કિટ હાઉસથી ઉપડશે અને બાદમાં દરરોજ એક બસ સવારે 7 વાગ્યે રાણીપ બસ સ્ટેન્ડથી ઉપડશે. વિગતો મુજબ એક બસમાં 47 મુસાફરની કેપેસિટી છે. મહત્વનું છે કે, પેકેજમાં મુસાફરી અને રોકાણનો ચાર્જ રહેશે અને અન્ય ચાર્જ મુસાફરોએ ખર્ચ કરવો પડશે.