મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રી મોહન યાદવે સોમવારના રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. રાજ્યપાલ મંગુભાઇ પટેલે વિધાયક દળના નેતા ડો. મોહન યાદવને મુખ્યમંત્રી નિયુક્ત કરવા મંત્રીમંડળ બનાવવા માટે આમંત્રિત કર્યા છે. રાજયપાલે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહણને મંત્રિમંડળને ત્યાગપત્ર પણ સ્વીકાર કરી લીધા છે.
ડો. મોહન યાદવે નવા મુખ્યમંત્રીના રૂપે 13 ડિસેમ્બરના શપથ લેશે. ડો. મોહન યાદવે જાતે આ વાતની જાણકારી આપી છે. શપથના સ્થળનો કાર્યક્રમ મોતીલાલ નેહરૂ સ્ટેડિયમમાં યોજવાનું નક્કી કર્યેુ છે. નવા સીએમ મોહન યાદવની સાથે બાકીના મંત્રી પણ શપથ લેશે.
- Advertisement -
#WATCH | Bhopal | Madhya Pradesh CM-designate Mohan Yadav says, "The oath ceremony will be held the day after tomorrow, 13th December…" pic.twitter.com/SjT1CiPMeo
— ANI (@ANI) December 11, 2023
- Advertisement -
સીએમ બનવા પર મોહન યાદવે કરી મહત્વની વાત
ભાજપની તરફથી મુખ્યમંત્રી બનવા પર મોહન યાદવે કહ્યું કે, હું પાર્ટીનો સિપાહી છું. ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે, કારણકે તેઓ પોતાના બધા કાર્યકર્તાઓની જાણકારી રાખે છે. મને ખુશી છે કે, મારા જેવા સામાન્ય કાર્યકર્તાને પણ પાર્ટી આટલી મોટી જવાબદારી આપે છે. હું પાર્ટી સિવાય દેશના સમગ્ર લોકોનો આભાર વ્યક્ત કરૂ છું, જેમણે પ્રચંડ બહુમતિ સાથે ભાજપની સરકાર બનાવી. મને આશા છે કે, સૌની સાથે મળીને હું શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં કરેલા કાર્યોને આગળ વધારીશ.
Swearing-in ceremony of Madhya Pradesh CM-designate Mohan Yadav and Deputy CM-designates Rajendra Shukla & Jagdish Devda to be held in Bhopal on 13th December. pic.twitter.com/QPJZ0LavPX
— ANI (@ANI) December 11, 2023
શિવરાજ સિંહ ચૌહાણને અભિનંદન આપ્યા
ભાજપ વિધાયક દળના નેતા ડો. મોહન યાદવે મુખ્યમંત્રી નિવાસે પહોંચીને પૂર્વ મુખ્યમંત્રી શઇવરાજ સિંહ ચૌહાણને પુષ્પગુચ્છ આપીને અભિનંદન આપ્યા હતા.