ગુજરાતમાં દરવર્ષે અષાઢી બીજના રોજ ભગવાન કૃષ્ણના મંદિરોમાં રથયાત્રાનું આયોજન થાય છે
અમદાવાદના જગન્નાથ મંદિરમાં યોજાતી રથયાત્રા સૌથી વધુ લોકપ્રિય છે
- Advertisement -
રથયાત્રાના 15 દિવસ પહેલા જળયાત્રા યોજવામાં આવે છે
અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં 148મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા અગાઉ આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ હતી. સાબરમતી સોમનાથ ભુદરના આરે જળ પૂજા કરાઈ. 108 કુંભમાં જળ લાવી ભગવાનનો જયેષ્ઠ અભિષેક કરવામાં આવ્યો. ધજા- પતાકા, ગજરાજ સાથે ભગવાનની જળ યાત્રા નીકળી.
આજે સવારે 8 વાગે બેન્ડવાજા, હાથી, ધજા પતાકા, ભજન મંડળી સાથે જમાલપુરના જગન્નાથ મંદિરથી શોભાયાત્રા કઢવામાં આવી હતી. સાબરમતી નદીના કિનારે પૂજા વિધી કરવામાં આવી હતી, આ યાત્રામાં રાજકીય નેતાઓ અને શહેરના મેયર પણ જોડાયા હતા. આ વિધી પૂર્ણ થયા બાદ અંતે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી ત્રણેય મામાને ઘરે ગયા.
- Advertisement -
નદીનું પવિત્ર જળ લાવી કરાવાશે સ્નાન
ભગવાનનું આ સ્નાન (સ્નાન યાત્રા) એક પ્રકારની પૂર્વતૈયારી હોય છે, જ્યાં મંદિરના દૈવિત પાત્રો બહાર આવે છે. આ યાત્રામાં હજારો ભાવિકો જોડાય છે અને વિવિધ ભજન, કીર્તન, અને શોભાયાત્રા દ્વારા લોકસંસ્કૃતિ જીવંત બને છે. ભગવાનને પાણીમાં લઇ જવા પૃથ્વી, જળ અને દૈવી શક્તિઓનો સમન્વય દર્શાવે છે. જળયાત્રા એક પ્રકારનો કુદરતી તત્વ સાથે ભગવાનનો મેળાપ દર્શાવે છે, જે હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આજે અમદાવાદમાં જગન્નાથ મંદિરથી હાથી-ઘોડા સાથે 108 કળશ સાથે જળયાત્રાની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં લોકો નાચગાન કરી ભક્તિનો આનંદ લીધો હતો.
હાથી, ઘોડા અને બેન્ડવાજા સાથે જળયાત્રાની શરૂઆત થઈ અને બપોર બાદ ભગવાનનું મોસાળ સરસપુર લઇ જવાશે, 15 દિવસ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાશે, જળયાત્રાના માટે ભગવાન જગન્નાથ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું . 27મી જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે નગર ભ્રમણ પર જશે. ભગવાન જગન્નાથ એકમાત્ર એવા ભગવાન છે જે વર્ષમાં એકવાર તેમની બહેન અને ભાઈ સાથે તેમના શહેરમાં તેમના ભક્તોને દર્શન આપવા માટે શહેરની પરિક્રમા કરે છે.