સમગ્ર ભારતવર્ષના ખંડિત મંદિરોના અહલ્યાબાઈએ પુનરોદ્ધારનું પૂણ્ય સ્મરણ કર્યું હતુ હતું: બદ્રિનાથ, કેદારનાથ, સોમનાથ જેવા શિવમંદિરોના પુન: નિર્માણને બિરદાવ્યું હતું
દેશભરમાં દેવી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતીની ઉજવણી થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
લોકમાતા અહલ્યાબાઈનો આવતીકાલે તા. 31-5-2025 શનિવારે જન્મદિન છે. કોણ હતાં લોકમાતા અહલ્યાબાઈ હોલકર? શા માટે પૂરા દેશમાં 300મી જન્મ જયંતી ભવ્ય રીતે યોજાય રહી છે? ચાલો જાણીએ દેવી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી ઉજવાઈ રહી છે. નારી તુ નારાયણ ખરા અર્થમાં સાર્થક કરનાર મહારાણી દેવી અહલ્યાબાઈ હોલકર, જન્મદિવસ 31-5-1723 જ્યારે પુરા દેશમાં 300 જયંતિ ઉજવાઇ રહી છે. મહારાણી દેવી અહલ્યાબાઈ હોલકર એટલે ભારતના ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો પરનું સુવર્ણ અક્ષરે લખાયેલું એક ઉમદા અનુપમ નારીનું જવલંત ઉદાહરણ. અહલ્યાબાઈ હોલકર એવા સમયમાં થઈ ગયા કે જ્યારે એક તરફ અંગ્રેજોની સત્તા પરની પકડ મજબૂત થઈ રહી હતી તો બીજી તરફ મુસ્લિમ સામ્રાજ્ય પણ વિસ્તાર પામી રહ્યા હતા. રજપૂતો અને મરાઠાઓ સંગઠિત થવાને બદલે આ લોકોની ગુલામી કરી વૈભવ વિલાસમાં રચ્યા-પચ્યા રહેતા. અહલ્યાબાઈએ આવા કપરા સંજોગોમાં સત્તાના સૂત્રો સંભાળી જીવનમાત્રનું કલ્યાણ કરનારી હિન્દુ સંસ્કૃતિનું ઉજવળ અને સંપૂર્ણ દર્શન પોતાના વહીવટ દ્વારા કરાવ્યું. અહલ્યાબાઈ એક પ્રતિભા સંપન્ન રાજરાણી હતા. તેમની તેજસ્વીતા અને પવિત્ર ચારિત્ર્યની આભાથી અભિભૂત થઈ લોકો તેમને દેવીતુલ્ય ગણતા આથી જ તેમના નામ આગળ સતિ, માતા, દેવી પુણ્યશ્લોક જેવા વિશેષણો વાપરીને જ લોકો તેમનું નામ લેતા. આવા કોઈ વિશેષણો લગાવવાની પ્રથા અહલ્યાબાઈએ પાડી નહોતી. તેમની પ્રજા જ તેમને માતાતુલ્ય, દેવીતુલ્ય સમજી માનપૂર્વક તેમને આ રીતે ઓળખાવતા. લોકમાતા અહલ્યાબાઈ હોળકર માળવા – ઇન્દોરની ધરતી પર જન્મેલાં અને સમગ્ર ભારતમાં પોતાની સેવા, ભક્તિ અને અભૂતપૂર્વ શાસન દ્વારા અમીટ છાપ છોડી જનારાં મહાન સન્નારી હતાં. ભારતવર્ષ તેમને પુણ્ય શ્ર્લોક દેવીતરીકે પૂજે છે. 31મી મે 1725ના રોજ તેમનો જન્મ થયો હતો. 31 મે, 2024થી દેવી અહલ્યાબાઈ હોળકરના 300માં જન્મજયંતી વર્ષનો પ્રારંભ થઈ ઞહ્યો છે.
સમગ્ર ભારતવર્ષના ખંડિત મંદિરોના અહલ્યાબાઈએ કરેલા પુનરોદ્ધારનું પુણ્ય સ્મરણ કર્યું હતું. ખાસ કરીને બદ્રિનાથ, કેદારનાથ, સોમનાથ જેવાં શિવમંદોરોના પુન:નિમાણને બિરદાવ્યું હતું. આ કહાની એક એવી શક્તિસ્વરૂપાની છે, જે એક નાનકડા ગામની નાનકડી ઝૂંપડીમાં જન્મી અને રાષ્ટ્રભક્ત રાજરાણી બનીને વિદાય થઈ. મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં આવેલાં ચોંડી ગામમાં જેઠ સુદ – સાતમ અને શક 1647ના રોજ એટલે કે 31મી મે – 1725ના રોજ એક બાળકી જન્મી. પિતાનું નામ માણકોજી અને માતાનું નામ સુશીલા શિંદે. દીકરીનું નામ પાડ્યું અહલ્યા. તેઓ મૂળ ધનગર એટલે કે ભરવાડ. તેમની પાસે થોડાંક ઘેટાં-બકરાં હતાં. એક નાનકડું ખેતર. એના આધારે અને નાનું મોટું ખેતીકામ કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવે. પરંતુ સમયે એવી કરવટ બદલી કે ચોંડી ગામનાં ખેતરોમાં ઘેટાં-બકરા ચરાવતી આ અહલ્યા એ વખતના માળવાના શ્રેષ્ઠ અને શક્તિસંપન્ન સૂબેદારના મલ્હારરાવ હોળકરના ઘરની પુત્રવધૂ બની અને રાજ્યની સૂત્રધાર બની. ચોંડી ગામની આ ક્ધયા અહલ્યામાંથી લોકમાતા અહલ્યાબાઈ બની અને રણમેદાનથી લઈને રાજમેદાન સુધી અભૂતપૂર્વ કાર્ય કર્યું. હોળકર વંશને તેમણે દીપાવ્યો. અહલ્યાબાઈ સામાન્ય ગામડાની ક્ધયામાંથી રાજમાતા બન્યાં હતાં એ સત્ય ભલે સાંભળવામાં સરળ હોય, પરંતુ તેમનું સમગ્ર જીવન સંઘર્ષમય જ રહ્યું. છતાં આ એકલી સ્ત્રીએ રાજકાજ એવી રીતે સંભાળ્યું કે, આજેય ભારતવર્ષ તેમને યાદ કરીને વંદન કરે છે. અહલ્યાબાઇનું નામ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. એક સ્ત્રી શાસક તરીકે શું શું કરી શકે છે? એ પ્રશ્ર્નના બધા જ ઉત્તર અહલ્યાબાઈના કર્તૃત્વશાળી, પ્રેરણાદાયી જીવનમાંથી આપણને મળે છે. સમુદ્રમાં જેમ શંખ અને છીપલા તો અનેક હોય છે પરંતુ મોતી ભાગ્યે જ જોવા મળે છે. અહલ્યાબાઈ મરાઠા શક્તિરૂપી સમુદ્રનું એક મૂલ્યવાન મોતી હતા. અગ્નિ જેવા જીવનમાં પણ તેમણે ધર્મકાર્ય છોડ્યું નહોતું. તેઓએ લગભગ આખા ભારતમાં ખૂબ ધર્મ કાર્યો કર્યા. કાશી વિશ્વનાથ, નાસિક, બદ્રીનાથ, કેદારનાથ, મથુરા, અવંતિકા, સોમનાથ વગેરે અનેક સ્થાનો પર તેમણે મંદિરો ઘાટો ધર્મશાળાઓ ઉદ્યાનો અન્નક્ષેત્રો સ્થાપ્યા હતા.
અહલ્યાબાઈના કર્તૃત્વનો જોટો જડે તેમ નથી. 70 વર્ષના જીવનકાળમાં 41 વર્ષનું અહલ્યાબાઈનું રાજકીય શાસન રહ્યું અને આ સમગ્ર જીવન એટલે અગ્નિ પરીક્ષા પોતે સતત આગમાં શેકાતા રહીને પણ અન્યને હંમેશા પ્રેમ અને સુરક્ષાનું છત્ર ધર્યું. સ્ત્રી શાસકોમાં કોહીનુર હીરા જેવા હતા. તપસ્યાની આગમાં બળીને તે વધુને વધુ નીકળતા ગયા બાદ 31 મે 1725ના રોજ અવતરિત થયા અને 13મી ઓગસ્ટ 1975ના રોજ તેમનો દેહવિલય થયો. જન્મના ત્રણસો વર્ષ બાદ પણ આજે તેમનું નામ હિમાલયથી માંડીને રામેશ્ર્વર સુધી અને ગુજરાતથી બંગાળ સુધી સર્વત્ર પૂજ્યભાવે લેવાય છે. એમના ધર્મ કાર્યોથી તેઓ અમર થઈ ગયા. આજે પુરા વિશ્ર્વમાં 300મી જન્મજયંતી ઉજવાઈ રહી ગઈ છે. અહલ્યાબાઈના કાળમાં નાના-મોટા સૌ તેમને માતોશ્રીના નામે જ સંબોધતા. આ સંબોધનને તેમણે સાર્થક કર્યું હતું. લોકોના માતા બનીને તેઓ રહ્યા. લોકમાતા તરીકે પૂજાયા નાની વયથી જ નાના મોટા સૌના માતા બનીને તેઓએ સૌને હુંફ, પ્રેમ અને છાયો આપ્યા હતા.



